________________
ઋતુમહોત્સવ
૧૧૩ દ ગીશ પોતે હમણાં જ માદમુઝોલ દ વાલિયેરને મળ્યો હતો, અને તેને પોતાની અસંબદ્ધ વાતોથી કેવી રીતે ચોંકાવી મૂકી હતી તેની વાત બાજલૉનને કરતો હતો.
બ્રાજલૉન તેને આશ્વાસન આપતાં બોલ્યો, “લુઝા બહુ સમજણી છે, અને તે તમારે વિષે બીજું કશું કદી નહિ ધારે.”
પેલા બંને પસાર થઈ ગયા એટલે તૉને શારૉતે પૂછ્યું, “લા વાલિયેર, તને વાઇકાઉંટ દ બાજલને લુઇઝ' કહીને ક્યા હકથી ઉલ્લેખી વા ?”
“અમે સાથે જ ઊછર્યા હતાં અને મોં૦ દ બ્રાજલૉને મારી સાથે લગ્ન કરવા માગણી પણ કરી હતી પણ-”
પણ શું?” “પણ રાજાજીએ સંમતિ ન આપી, એમ લાગે છે.”
વાહ, રાજાજીને એ બાબતમાં શું લાગેવળગે વળી? આ કંઈ રાજકાજની બાબત ઓછી છે? પ્રેમની બાબતમાં તેમને શી લેવાદેવા? તેથી હું કહું છું કે, તું મૅ૦ દ બ્રાજલૉનને પરણી જા; મારી સદર પરવાનગી છે,” મેંતાએ કહ્યું.
તૉને શારેત હસવા લાગી.
લુઇઝાએ હવે બંને સખીઓને પોતાના મિલનસ્થાને જલદી જઈ પહોંચવા જણાવ્યું. વચ્ચે ખુલ્લી જગા આવતી હતી, અને પછી એની સામે પાર ઝાડી હતી. એ ખુલ્લી જગામાં કોઈ જોઈ ન જાય તે માટે ત્રણે સખીઓએ ઉતાવળે દોટ મૂકી; પરંતુ લાઇઝા એક પગની અશક્તિને કારણે બંને સખીઓની સાથે દોડી શકી નહિ.
પણ તે ઘડીએ બાજુએ થઈને એક જણ દોડીને આગળથી જ પેલી ઝાડીમાં પેસી ગયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org