________________
ત્રસ્તુમહોત્સવ
૧૧૧ “શું થયું છે, મોંશ્યોર લ કાઉંટ? તમને કંઈ દુખ થતું હોય એમ લાગે છે.” બિચારી લા વાલિયેર ચિંતામાં પડી જઈ બોલી ઊઠી.
મને? ના, ના, કંઈ થયું નથી!”
“તો મોં૦ દ ગીશ, ઘણા વખતથી મારે તમારો આભાર માનવાનો હતો, તે અત્યારે માની લઉં: મેડમની તહેનાતબા તરીકે મને નીમવાની ભલામણ તમે કરી હતી.”
“હા, હા, મને યાદ આવ્યું, અને તમારી એ સેવા બજાવ્યા બદલ હું મારી જાતે જ મને ધન્યવાદ આપી લઉં છું; પણ, તમે કોઈને ચાહો છો, ખરાં?”
“હું?” લા વાલિયેર નવાઈ પામી બોલી ઊઠી.
“ભૂલ્યો, ભૂલ્યો, મને માફ કરો; મારા ચિત્તનું અત્યારે કંઈ ઠેકાણું નથી. પણ તમે મે. બ્રાજલોનને અહીં જોયા છે?”
લા વાલિયેર એ નામ સાંભળી ચોંકી ઊઠી. “તમે શું પૂછો છો?” તેણે પૂછ્યું.
“મેં તમને ફરીથી ખોટું લગાડયું ખરું? મારા ઉપર દયા લાવી મને ક્ષમા કરો.”
અરે, મેંશ્યોર દ ગીશ, તમે બહુ જ દુ:ખી થઈ ગયા લાગો છો. તમને શું થયું છે?”
અરે, કુમારી, તમારી જેવી માયાળુ બહેન કે મિત્ર મને હોત, તો કેવું સારું થાત?”
“મશ્યોર દ ગીશ, તમારે વાઈકાઉંટ દ બ્રાજલૉન જેવા મિત્રો છે, એ કેમ ભૂલી જાઓ છો?”
ખરી વાત, ખરી વાત; તે મારી સાચામાં સાચો મિત્ર છે.” એટલું કહી તે એકદમ ચાલતો થયો.
લાઇઝા દ લા વાલિયેર ચાલ્યા જતા દ ગીશ તરફ જોઈ રહી હતી, તેવામાં જ તેની બે સખીઓ – જેઓ મૅડમની તહેનાતબાનુઓ પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org