________________
સલાહકારો
૯૫
“ના, ના; દ ગીશ; તમે નિર્દોષ છો તે માટે બેધડક તમે અહીં જ રહો.” શવાલિયર બોલ્યો.
“પણ હું દગીશને કયાં લાંબો વખત ચાલ્યા જવાનું કહું છું? અત્યારની ઘડીએ તે ચાલ્યા જાય; અને થોડા વખત પછી બધું ઠેકાણે પડી ગયું હોય ત્યારે ભલે તે પાછા આવે. ત્યારે તેમને હાસ્ય અને આવકાર જ જોવા મળશે– ગુસ્સો અને ફૂંફાડા નહિ. અત્યારે તો રાજાજીનો ગુસ્સો કર્યું સ્વરૂપ લેશે, એની ગણતરી કોઈથી કરી શકાય તેમ નથી,” રાઓલે કહ્યું.
64
‘ના, ના, બ્રાજૉત, મેં નક્કી કર્યું છે કે, હું અહીં જ રહીશ.” દ ગીશે જવાબ આપ્યો.
‘તો હું ભવિષ્ય ભાખું છું કે, તમારા માથા ઉપર ભયંકર આફત આવી પડશે, દ ગીશ.
""
“પણ આજે સાંજનો નૃત્યસમારંભ તો કાયમ જ રહ્યો છે તે? એનો અર્થ એ કે, આજે બનેલા પ્રસંગનો કશો ખટકો કોઈના મન ઉપર નથી,” દ ગીશે જવાબ આપ્યો.
“ઠીક ભાઈ, ત્યારે મારા હાથ હેઠા પડે છે, અને મારે વધુ કંઈ કહેવાનું રહેતું નથી.” આમ કહી, રાઓલ એક મોટા સોફા ઉપર સડાઈ પડયો. લૉરેઈનને હવે ચાલ્યા જવું હતું, પણ રાઓલ એકલો,દગીશ સાથે રહેશે, તો કદાચ પાછો તેને પોતાના અભિપ્રાયનોકરી લેશે, એ બીકે, તેણે છેલ્લું હથિયાર વાપર્યું—
“ફાંતેબ્લોના મહોત્સવમાં મૅડમ પૉમોના – ફલદેવીનો શૃંગાર સજવાનાં છે; અને રાજાજી વસંતરાજનો. મને તો નાચતાં ફાવતું નથી, અને મારા પગ તમો સૌના જેવા ઘાટીલા ન હોવાથી, હું તો સામાન્ય પાત્ર જ બનવાનો છું. પણ કાઉંટ જોજો, પૉમોના દેવીને ફળની છાબ અર્પવાનું તમારે માથે છે, તે ચૂકતા નહિ,’
66
જરૂર, જરૂર, હું નહિ જ ભૂલું વળી !” દ ગીશ આનંદમાં આવી જઈ બોલી ઊઠયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org