________________
૯૪
પ્રેમ-પંક
સલાહ પ્રમાણે ભલે નિરાંતે ઊંઘજો.” રાઓલ બધું પામી જઈ બોલી
ઊઠયો.
“શું ? જાગીરે ચાલ્યા જાય? શા માટે દ ગીશ ચાલ્યા જાય વારુ?’’ લૉરેઈને પૂછ્યું.
."
હા હા; જે કાંઈ બન્યું છે અને જે વાતો સંભળાય છે, તેનાથી તમે કે દ ગીશ અજાણ્યા તો નહિ જ હો! અને એ બધાનું શું પરિણામ આવી શકે, તેની કલ્પના કરવા જેટલી બુદ્ધિ તો તમારામાં હશે જ. મોંશ્યોર ખરેખર દ ગીશ ઉપર ખૂબ ગુસ્સે થઈ ગયા છે, અને મૅડમને પણ રડવું પડયું છે.”
(6
પણ તેથી દગીશને શા માટે ભાગી જવું પડે, તે કહેશો? હું હમણાં જ મૅશ્યોરને મળીને આવ્યો છું, અને હું ખાતરીથી કહું છું કે, તેમના મનમાં ૬ ગીશ પ્રત્યે કશો ગુસ્સો નથી.”
“અરે, રાજાજીએ આખો મામલો પોતાના હાથમાં લીધો છે, એટલે માણ્યોરને મનમાં શાંતિ જ હોય ને!”
“ પણ રાજાજી દ ગૌશને ચાહે છે અને ખાસ કરીને તેમના પિતાજી તો તેમના ખાસ પ્રેમપાત્ર હતા. પણ બીજી અગત્યની બાબત તો એ છે કે, કાઉંટ આમ ભાગી જાય, તો પોતાના ગુનાની કબૂલાત કર્યા જેવું ન થાય કે?”
*
શા માટે?”
"C
કારણ કે, માણસે ખરેખર ગુનો કર્યો હોય તો જ, કે તેની સજાના ડરથી જ તે ભાગાભાગ કરી મૂકે.”
“અથવા પોતાના ઉપર ખોટો આરોપ આવ્યો હોય તો રિસાઈને કે ગુસ્સે થઈને પણ ચાલ્યો જઈ શકે. અને આપણે બધા મિત્રો પ્રયત્નપૂર્વક જો એવી જ હવા ઊભી કરીએ, તો પછી બધા એમ જ માનશે. માટે કાઉંટ, તમે નિર્દોષ છો, અને આજના પ્રસંગ વખતે તમારા ઉપર અવિશ્વાસ બતાવવામાં આવ્યો હોવાથી તમને માઠું લાગ્યું છે, અને તેથી તમે ચાલ્યા જાઓ છો, એવું કહેવાવા દો. ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org