________________
સલાહકારો આદરભાવ અને આંતરિક સ્નેહભાવ છે; છતાં તે બહુ સ્વમાની તથા ઉદંડ પ્રકૃતિની છે, અને તેની લાગણીઓને કુશળ વીણાકારની જેમ બજાવી જાણવી જોઈએ- તો તેમાંથી સ્વર્ગીય પ્રેમ-સંગીત ઊભું થઈ શકે!
રાજાએ પ્રથમ કામ એ કર્યું કે, નાનાભાઈને બોલાવીને તેને જણાવી દીધું કે, પોતે બધું ગુપચુપ ગોઠવી લીધું છે, અને હવે તેણે અકળાવાની કે મૂંઝાવાની જરૂર નથી. તેણે એમ પણ સલાહ આપી કે, અંગ્રેજ પ્રકૃતિ ફ્રાંસમાં ઝટ સમજી શકાતી નથી, પરંતુ એક વખત તેને યોગ્ય રીતે ધીરજથી અને કુશળતાથી વાળી લઈએ, એટલે બસ.
ફિલિપે માત્ર એટલું જ કહ્યું, “આપ નામદાર જે ઘડીથી મારી પત્નીને દોષમુક્ત જાહેર કરો છો, તે ઘડીથી મારે બીજું કશું વિચારવાનું રહેતું નથી, પરંતુ જે બીજાઓ આમાં સંડોવાયા છે, તેઓ એટલા દોષમુક્ત છે કે નહિ તેની તપાસ તો આપે કરવી જ જોઈએ.”
બીજી બાજુ લૉરેઈન દ ગીશને ત્યાં જઈ, તેની આંખે પાટા બાંધી, મૅડમની અંધારખીણને માર્ગે જ તેને આગળ દોરવા પ્રયત્ન કરતો હતો. મેંશ્યોરના મનમાં કશું નથી, એવી ખાતરી તે દ ગીશને આપવા માગતો હતો, જેથી તે મૅડમ તરફના પ્રેમમાં મચ્યો રહે!
પણ એટલામાં રાઓલ એ જ પ્રકરણ અંગે પોતાના મિત્રને ચેતવણી આપવા જ જાણે ત્યાં આવી પહોંચ્યો. તેને જોતાં જ લૉરેઈન ઊઠીને ઊભો થઈ ગયો.
છતાં દ ગીશે તેને પૂછ્યું, “તો મને શું કરવાની સલાહ આપો છો?”
મનમાં નિરાંત રાખી મજામાં સૂઈ રહો, વહાલા કાઉંટ,” લૉરેઈને જવાબ આપ્યો.
મારી સલાહ, દ ગીશ, તેથી ઊલટી છે; તમે એકદમ ઘોડેસવાર થઈ તમારી જાગીર તરફ ચાલ્યા જાઓ; ત્યાં ગયા પછી શવાલિયેરની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org