________________
૮૨
પ્રેમ-પંક ભાઈસાહેબ પાછા પોતાની પત્નીની બાબતમાં જ કંઈ કહેવા દોડી આવ્યા છે!
પણ જ્યારે પ્રિન્સને દ ગીશ માટે ફરિયાદ કરવા આવેલો જાયો, ત્યારે તે હસી પડી અને બોલી, “દીકરા, તને તો હવે રોગી માણસ ગણી કાઢવો જોઈએ. અદેખાઈની પણ રીત હોય કે હદ હોય! અને મારાથી પણ આવી બાબતોમાં માથું ન મારી શકાય. જવાનિયાં ઉપર મારો થોડો ઘણો પ્રભાવ છે, તે આવી મૂર્ણ વાતો કરવા જઉં તો પછી રહે જ નહિ. ઉપરાંત દ ગીશ ગુનેગાર છે એની કશી સાબિતી ક્યાં છે!”
“પણ હું તેના ઉપર બહુ નારાજ થઈ ગયો છું.”
“પણ એ તો તારી પોતાની બાબત થઈ; રાજમાતા તરીકે મારા કુટુંબ ઉપર મારાથી મનસ્વીપણે કશી જોહુકમી વાપરી શકાય નહિ.”
“તો પછી મને ફાવશે તેમ હું કરી લઈશ.”
પણ તું શું કરશે, એ તો કહે.”
“હું દ ગીશને ફરી મારા મકાનમાં જોઈશ, તો તેને મારા હોજમાં ડુબાડી દેવરાવીશ.”
રાજમાતા હસી પડ્યાં અને બોલ્યાં, “જા કરી જોજે.”
ફિલિપ હવે સ્ત્રીની પેઠે રડી પડ્યો અને બોલી ઊઠયો, “બધા જ મને બેવફા નીવડે છે, મારી કોઈને દરકાર નથી; મારી માં પણ મારા દુશ્મનોના પક્ષમાં ભળી ગઈ છે. હું હવે રાજાજી પાસે પહોંચીશ.”
“હા, હા, તેમને અહીં આવવાનો વખત જ થયો છે; તું જાતે જ તેમને કહેજે.”
પણ એટલામાં તો રાજાજી આવતા હોવાનાં પગલાં બહાર સંભગાતાં જ તે ત્યાંથી ગુપચુપ નાસી ગયો!
રાણીમાતા હસી પડ્યાં.રાજાજીએ આવીને ફતેબ્લો મુકામે મહોત્સવની થઈ રહેલી તૈયારીઓની વાત કરવા માંડી. રાણીમાતાએ એ સાંભળી લીધા બાદ તેમને કહ્યું, “આ તમારો નાનો ભાઈ પરણે પંદર દિવસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org