________________
લૉરેઈનની અદેખાઈ મૅડમ સ્વસ્થતાથી માત્ર એટલું જ બોલી, “હું જ્યારે ફ્રાંસના દરબારમાં આવી ત્યારે મને એવી ખબર નહોતી કે હું તુર્કસ્તાનના સુલતાનના જનાનખાનામાં જાઉં છું. હું કોઈની નજરે ન પડું એવી જ તમારી ઇચ્છા હોય, તો જરાય ખચકાશો નહિં; હું તમારી ઇચ્છાને જરૂર માન આપીશ; તમે મારા કમરાની બારીઓને લોખંડના સળિયા પણ જડાવી શકો છો, જેથી હું મારું ડોકુંય બહાર ન કાઢી શકું.”
આ છેલ્લું વાક્ય તે એવા ઠાવકાપણાથી તથા ઠસ્સાથી બોલી કે. ઓરડામાં ઊભેલાં દ ગીશ અને મતાલેને મહાપરાણે પોતાનું હસવું દબાવી રાખવું પડ્યું.
પ્રિન્સ આ બધું સમજી ગયો, એટલે તે વધુ ગુસ્સો કરીને બોલ્યો, “એમ? મારા ઘરમાં મારી સાથે જ આવો વ્યવહાર ચલાવવામાં આવશે કેમ?”
લૉરેઈન હવે જાણે તેને શાંત પાડવા પ્રયત્ન કરતો હોય તેમ બોલ્યો “અરે, અરે, આ શું?” એમ કહીને સાથે સાથે તે પ્રિન્સને બહાર ખેંચી ગયો.
પોતાના કમરામાં આવીને ખુરશી ઉપર બેસી પડીને પ્રિન્સે લૉરેઈનને કહ્યું, “જોયું, આ કેવી બદમાશી ચાલે છે તે?”
લૉરેઈન જાણે અંતરનું દુ:ખ પ્રગટ કરતો હોય તેમ બોલ્યો, “અને આપણે એમ માનતા હતા કે, પેલો પાગલ બકિંગહામ ગયો એટલે સૌને નિરાંતે જીવવાનું મળશે.”
“અરે આ તો ઐથી પણ વધુ ભૂંડું થયું છે. બકિંગહામ કદી આમ પાછલે બારણેથી પેસવા પ્રયત્ન ન કરે. આ તો મને ભ્રમમાં રાખીને બધું ચલાવવામાં આવે છે. હું તો આ વસ્તુ એક મિનિટ પણ ચાલવા દઈ શકું તેમ નથી.”
એમ કહી, તે તરત પોતાની માના ઓરડા તરફ ચાલ્યો ગયો. રાણી-માતા ઍન તેને ધૂંઆપૂંઆ થઈને આવેલો જોઈ સમજી ગઈ કે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org