________________
પ્રેમ-પક કંઈ નહિ, એ તો આપણે તેને મનાવી લઈશું; પણ હવે આપણે ભોજન કરવા બેસી જઈએ.”
મસિન્યોર, આજે મને ભલભલા ખ્યાલો ફુરી આવે છે; તમે અત્યારે વણનોતર્યા જઈને એકલાં પડેલાં મૅડમને જમતી વખતે સાથ આપવા જાઓ, તો સારું દેખાશે. તમને મનમાં બીજો કશો વહેમ નથી, તથા સવારના તમે મેડમના કમરામાં તેમની સોબત માટે જ ગયા હતા, એવું તેથી પુરવાર થશે. પ્રેમી પતિ તરફથી પત્નીને એટલું આશ્વાસન જરૂર મળવું જોઈએ. મૅડમ ખરેખર બહુ રાજી થશે.”
તો પણ સાથે ચાલ.”
બંને જણ મેડમના કમરામાં, પોતાના આગમનની જાહેરાત કરાવ્યા વિના ઓચિંતા જ પેઠા, ત્યારે ત્યાં તો અદ્ભુત નાટારંભ ચાલી રહ્યો હતો. વાજિંત્રો વાગતાં હતાં અને દ ગીશ તથા મૅડમ નાચતાં હતાં. ટેબલ ઉપર ભોજન પીરસાઈ રહ્યું હતું અને આનંદ-કલ્લોલનું વાતાવરણ જામી રહ્યું હતું.
મોંશ્યોરને આવેલા જોતાં જ બધાંના મોતિયા મરી ગયા અને ફરી પાછી ભાગ-દોડ મચી રહી. માંશ્યોર પૂતળું બની ગયેલી મૅડમ તરફ જઈને બોલ્યા, “વાહ, મને ઘણી ખુશી થઈ, હું તો એમ માનીને આવ્યો હતો, કે તમે એકલાં પડી બહુ ખિન્ન બની ગયાં હશો. એટલે તમને સોબત તથા આનંદ આપવા વણનોતર્યો હું આવી પહોંચ્યો; પરંતુ હું જોઉં છું કે, મારું ઘર રાજયનું સૌથી વધુ આનંદ-કલ્લોલભર્યું ઘર છે; માત્ર મને જ તેમાંથી બાકાત રાખવામાં આવે છે. મૅડમ, મારી વિનંતી છે કે, તમે જયારે આવા બધા આનંદોત્સવો ગોઠવી, ત્યારે મને તેમાં ભાગ લેવા બોલાવતાં રહો. હું એવો કમનસીબ માણસ છું કે, મને કોઈ યાદ જ કરતું નથી. ઉપરાંત મને ન બોલાવવો હોય, તો પછી મારા મિત્રોને તો મારા આનંદ કે સોબત માટે જરૂર છૂટા રાખશો; તમે તો તમારી તહેનાતબાનુઓથી પણ ચલાવી લઈ શકો. આ તો મને તમારી તથા મારા મિત્રોની એમ બેવડી સોબતથી વંચિત રાખવા જેવું થાય છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org