SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીર સ્વામીને અંતિમ ઉપદેશ જીતનારે સુખી થાય છે. પાંચ ઈદ્રિયે, ક્રોધ, માન, માયા અને લેભ; તથા સૌથી વિશેષ દુર્જય એવું પોતાનું મન : એ જિતાયાં એટલે બધું જિતાયું. [૩૩-૬] - દેવેંદ્ર : હે ક્ષત્રિય ! તારે તો મેટા મોટા યજ્ઞો કરવા, જોઈએ તથા શ્રમણબ્રાહ્મણોને જમાડવા જોઈએ. દાન, ભોગ અને યજ્ઞ એ તારું કર્તવ્ય છે. [૩૭-૮] ' રાજર્ષિ નિમિ: મહિને મહિને લાખો ગાયો દેનારાના દાન કરતાં, કાંઈ ન આપનારાનું સંયમાચરણ શ્રેણ છે. [૩૯-૪૦] દેવેંદ્ર: ગૃહસ્થાશ્રમનો ત્યાગ કરી તે બીજે આશ્રમ સ્વીકારવા તત્પર થયો છે. તેના કરતાં તો, હે નરાધમ ! તું ગૃહસ્થાશ્રમમાં રહીને જ પૌષધ વગેરે કર. [૪૧-૨] - રાજર્ષિ નિમિઃ કાઈ અજ્ઞાની મનુષ્ય મહિને મહિને દાભની અણી ઉપર રહે તેટલું અન્ન ખાઈને ઉગ્ર તપ કરે, તોપણ તે માણસ, પુરુષોએ બતાવેલા ધર્મને અનુસરનારા ૧, જુઓ આચારાંગ ૧-૫-૩, ૨. ૨. મૂળમાં “ઘોરાશ્રમ” શબ્દ છે. સંન્યાસી લેખકની મનોવૃત્તિએ તેની પાસે આ ચૂક કરાવી છે એમ ગણવું જોઈએ. નીચેના શ્લોક ટાંકીને ટીકાકાર કહે છે કે, ગૃહસ્થાશ્રમ બરાબર પાર પાડવો એ જ ખરું મુશ્કેલ કામ છે : કાયર લોકો જ સંન્યાસ વગેરે પાખંડ સેવે છે : गृहाश्रमपरा धर्मो न भूतो न भविष्यति । पालयन्ति नराः शूराः શ્રીવા: Tseમશ્રિતા: છે તેથી તેને ઘોરાશ્રમ કહ્યો છે.” પરંતુ નમિના જવાબમાંથી તે અર્થ સૂચિત થતાં નથી. ૩જુઓ પા. ૨૪, નોંધ ૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005193
Book TitleMahavirswamino Antim Updesh
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy