________________
૧૫૨
મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ તેની વિશેષ વિગત આ પ્રમાણે છે :
પહેલી પૌરુષીમાં, સૂર્યોદય થયે. શરૂઆતમાં બે ઘડી સુધીમાં પોતાની વસ્તુઓ બારીકાઈથી તપાસી લેવી; અને તેમાં જીવજંતુ વગેરે હોય તે કાળજીથી દૂર કરવાં. [૮,૨૧]
પહેલાં મૂમતી તપાસી લેવી; પછી ગુચ્છો તપાસો. ત્યાર બાદ ગુચ્છાને હાથમાં લઈ બીજાં વસ્ત્ર નીચે પ્રમાણે તપાસવાં :
સ્થિરતાથી વસ્ત્રને ઊંચું પકડી, ઉતાવળ કર્યા વિના, પ્રથમ તો તેને બધી બાજુથી આંખ વડે તપાસી લેવું; (પછી જે જીવજંતુ દેખાય તેને અળગાં કાઢીને તેને હળવેથી ખંખેરવું અને પછી જીવજંતુને ગુચ્છાથી સાફ કરવાં. [૨૪]
તે બધું તપાસવાનું કામ પ્રમાદપૂર્વક કરે. તો પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને જંગમ જીવોની હિંસા થાય; અને જે બરાબર કાળજીથી કરે, તે તેમનું રક્ષણ થાય. માટે અરસપરસ વાતચીત કરતાં, ગામલેકની વાત કરતાં, કોઈને કશાનો નિયમ આપતાં, પાઠ આપતાં કે બીજા પાસેથી પાઠ લેતાં લેતાં તે ક્રિયા ન કરવી. [૨૯-૩૧]
તપાસતી વખતે વસ્ત્રને નચાવવું નહીં; તેમાં વળ કે ગડી જવા દેવી નહીં; તેના ભાગોને એક બીજા સાથે
૧. મૂળમાં તે “પહેલી પરુષીના પ્રથમ ચતુર્થાશમાં' છે. ૩૨ ઘડીને દિવસ ગણીએ, તે દરેક પૌરુષી આઠ ઘડીની થાય; અને તેને ચોથે ભાગ બે ઘડીને થાય.
૨. જૈન મુનિઓ માં ઉપર જે પટ્ટી બાંધે છે તે. ૩. લુછવા-સાફ કરવા માટે વપરાતું ઊન વગેરેનું વસ્ત્ર કે પછી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org