________________
૨૫.
સાચો યજ્ઞ બ્રાહ્મણ કુળમાં ઉત્પન્ન થયેલો જયઘોષ નામને મહાયશસ્વી બ્રાહ્મણ, સંસારથી ઉઠેગ પામી, મહાવ્રતરૂપી યજ્ઞ આચરનારે (જૈન) યતિ થયો. [૧]
ઇનિા સમૂહનો નિગ્રહ કરનાર, તથા સન્માર્ગે પ્રવતેલો તે મહામુનિ, એક વાર ગામેગામ ફરતો ફરતે વારાણસી નગરીમાં આવી પહોંચ્યા, તથા ગામબહાર આવેલા એક મનહર ઉદ્યાનમાં ઉતર્યો. [૨-૩]
૧. ટીકાકાર એવી કથા આપે છે કે, જયઘોષ તથા વિજયધોષ બંને છેડા ભાઈઓ હતા. જયઘોષે એક વખત નદીકિનારે આરડતા દેડકાને ગળતો સાપ જોયો. પાછળથી એક નોળિયે આવીને સાપને પકડ્યાં. આ દેખી તેને વિચાર આવ્યો કે, સંસારમાં બળવાન નબળીને ખાય છે, અને મૃત્યુ સૌથી બળવાન હાઈ બધાંને ખાય છે; માટે ધર્મ જ બધાં દુઃખામાંથી રક્ષણ કરી શકે તેમ છે. એમ માની તેણે પ્રવજયા લીધી. આ વાત ટૂંકમાં નિરયાલીસૂત્રમાં આવે છે. ત્યાં નોળિયાને બદલે “કુલલ” છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org