________________
૧૦૦ મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ
ઉદાયનઃ આ રાજા પણ મહાવીરનો સમકાલીન હતો. કથામાં તેને સિંધુસૌવીર દેશના રાજા તરીકે વીતભયપત્તનમાં રહેતો વર્ણ વ્યા છે. તેની રાણીનું નામ પ્રભાવતી હતું તથા તે ચેટક રાજાની પુત્રી થતી હતી. આ રાજાએ મહાવીર પિતાના નગરમાં આવ્યા ત્યારે તેમની પાસેથી દીક્ષા લીધી હતી, તથા પિતાને પુત્ર પણ રાજ્યલક્ષમીમાં ન બંધાય તે માટે રાજગાદી પોતાના ભાણેજને આપી દીધી હતી. તે ભાણેજે જ, પછી, તે રાજ વિચાર બદલી રાજ્ય પાછું ન લઈ લે તે માટે તે રાજને ઝેર ખવરાવી મારી નાખ્યો હતો. આ રાજાને અવંતીના ચંડપ્રદ્યાત સાથે યુદ્ધ થયું હતું અને તેમાં તે જીત્યો હતો. રાજ મરી ગયા બાદ તેનો પુત્ર રાજ્ય ન મળવાથી ખિન્ન થઈ ચંપામાં પોતાની માસીના પુત્ર કૃણિક પાસે ચાલ્યો ગયો હતો -- એવી હકીક્ત જૈન કથામાં છે. આ કથા બીદોના દિવ્યાવદાન ૩૭માં આવતી રુદ્રાયણની કથાને મળતી આવે છે. તથા વસેના રાજા ઉદાયનની કથાના ઘણા ભાગે આમાં ઉમેરાયેલા દેખાઈ આવે છે.
કાશીરાજ: તેનું નામ નંદન હતું તથા તે કાશીના અગ્નિશિખ રાજાને પુત્ર થાય. તે ઉમે બલદેવ ગણાય છે.
વિજય: દ્વારિકાવતીના રાજ બ્રહ્મરાજનો પુત્ર અને વાસુદેવ દ્વિપુષ્ટનો માટે ભાઈ.
મહાબલ: હસ્તિનાપુરના બલરાજાનો પુત્ર. આ રાજ ૧૩માં તીર્થકર વિમલનાથના વખતમાં થઈ ગયે, એમ જૈન કથામાં જણાવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org