________________
સર્વોદયની જીવનકળા આ સંબંધમાં, આપણા જમાનામાં નેતાગીરી વિષેની કલ્પનામાં જે ફેરફાર થઈ ગયું છે, તે જોતા જઈએ તે રસિક થઈ પડશે. કાર્લાઈ લે ગયા જમાનામાં તે ફેરફાર અને બહુ દુઃખ વ્યકત કર્યું હતું, પણ હવે તે તે ફેરફાર વધુ દઢ અને વ્યાપક બની ગયો છે. આપણે જૂની દુનિયાની મહાકથાનું સાહિત્ય તપાસીશું તે સૌથી પ્રથમ એ બીના આપણી નજરે ચડશે કે, નેતામાં જરૂરી ગણાતા ગુણેમાં હિંમતને મોખરાની જગા આપવામાં આવી હોય છે. નેતામાં બીજા ગુણો ગમે તેટલા પ્રખર તથા આંજી નાખે તેવા હોય, પણ જ્યાં સુધી તે બધાના પાયામાં હિંમતનો ગુણ ન હોય, ત્યાં સુધી તે પુરતા ગણાતા નહીં. દાખલા તરીકે, તે જમાનામાં વકતૃત્વની કુશળતાને જરાય ધડે કરવામાં આવતા નહીં. સિવાય કે, તે વક્તા કોઈ પણ ક્ષણે પિતાનું જીવન પોતાની મૂઠીમાં લેવા તત્પર હોય, અને પિતાના શ્રોતાઓને પિતાના દાખલાથી – અને નહીં કે વકતૃત્વથી – તેમ કરવાને પ્રેરવાને સમર્થ હોય. એ મહાકથા-સાહિત્યમાં વર્ણવાયેલા જૂની દુનિયાના નેતાઓમાં કઈ કઈ પ્રખર વક્તાઓ પણ હતા; પરંતુ તેઓ હંમેશાં ટૂંકું, પ્રજનસર, અને ભારપૂર્વક બોલનારા હતા; તથા કરવાનું કાંઈ બાકી ન રહે, ત્યારે તરત બોલવાનું પણ બંધ કરનારા હતા. આપણે જેને વૈજ્ઞાનિક તૈયારી કહીએ છીએ, તે બાબતમાં તે તે નહીં જેવા જ સંપન્ન હતા; તેમ જ તેમની પાસે તે જાતની અપેક્ષા પણ રાખવામાં આવતી નહતી. તેમની ખાસ લાયકાત તો એ હતી કે, જ્યારે કામ કરવાનું હોય, કે તને સામેનો કરવાનો હોય, ત્યારે તેઓ તેમના અનુસરનારાઓ કરતાં તે કામ વધારે સારી રીતે કરી શકે તેવા હતા, તથા તેનાં જોખમ ખેડવાની બાબતમાં તે બધા કરતાં થોડીક પણ પહેલ કરનારા તથા અંત સુધી મક્કમપણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org