________________
સર્વોદયની જીવનકળા કરવામાં આવે છે, ત્યાં સ્વજ એ માત્ર બહુમતીની બરજોરી બની જાય છે. અને એ વસ્તુ તે સ્વરાજથી ઊલટી જ થઈ તે પછી “આમવર્ગની સરમુખત્યારી” તરફ લઈ જાય છે; પણ એ તે સ્વરાજની પદ્ધતિ નથી, પરંતુ વીગા ઉપર રાજ્ય કરવાની પદ્ધતિ છે. તેમાં લઘુમતી ઉપર બરજોરી હોય છે, તેને લીધે અચૂક ત્યાં બળવાખોરોનો એક કાયમનો વર્ગ ઊભું થાય છે, જે પિતાના જાલીમની સત્તા ઉથલાવી નાખવાની તક જ જોઈ રહ્યો હોય છે.
- બીજાઓ ઉપર રાજ્ય ચલાવવાની ઈચ્છા – અને જ્યારે “બીજાઓને” તે વ્યવહાર આપણા સ્વાર્થોની આડે આવતે હોય, ત્યારે તે ખાસ કરીને – એ મનુષ્યસ્વભાવમાં રહેલી એક પ્રબળ વૃત્તિ છે. પરંતુ, એ વૃત્તિને સંતોષવા ખાતર મતાધિકારમાં કરેલો વધારે, એ કંઈ સ્વરાજની દિશામાં પગલું નથી. કારણ કે, ખરું સ્વરાજ સૌથી પ્રથમ એ માગે છે કે, કઈ સ્ત્રી કે પુરુષ, જ્યાં સુધી પોતે પોતાની ઉપર રાજ ચલાવવાની શકિત કે વૃત્તિ વિનાનાં હોય, ત્યાં સુધી તેમને મતાધિકાર મળ જ ન જોઈએ. સ્વરાજ ભેગવતા સમાજના ભાગીદાર થવા ઇચછનારની એ જ સાચી પરીક્ષા છે; નહિ કે, તેણે સમાજવિદ્યામાં પ્રવીણતા મેળવી છે, અને તેથી તે સમાજના રેગ પારખી તેના ઉપચાર કરી શકે છે, એ. આ પ્રકારની આવડત પેલી મૂળભૂત જે લાયકાત કહી તેની સાથે સાથે હોય તે કીમતી છે, એ જુદી વાત છે. વૈયક્તિક રીતે સમાજશાસ્ત્રોમાં કુશળ, તથા પોતાનું એ જ્ઞાન પિતાના પડોશીઓ ઉપર રાજ્ય ચલાવવામાં વાપરવા માટે અધીરા, પરંતુ પિતાની જાત ઉપર રાજ્ય ચલાવવાને અસમર્થ, એવા નાગરિકોના બનેલા સ્વરાજ-સમાજની કલ્પનાને તો પાગલેના મગજમાંથી નીકળેલી કલપના ગણી કાઢવી જોઈએ. છતાં, આજકાલ એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org