________________
શબ્દના સાચા અર્થ દુઃખની જ માત્ર છે” એવી દુનિયામાં પ્રવેશવાના સહીસલામત માર્ગ તરીકે સ્વીકારવામાં આવે, ત્યારે તે શાસ્ત્ર નકામું જ નહીં, પણ અતિ હાનિકારક પણ નીવડે છે. જે સમાજશાસ્ત્રની પાછળ, તેને ટકાવી રાખવા માટે જોઈતી સામાજિક વીરતા નથી, કે ત્યાગ આચરવાને તથા સંચમની શિસ્ત અનુસરવાને જોઈતી સર્વસાધારણ ઈચ્છાશક્તિ નથી, તે સમાજશાસ્ત્ર, ઈડનના બગીચાના જ્ઞાનવૃક્ષની પેઠે મનુષ્યજાતિના સત્યાનાશનું પણ કારણ થઈ પડે. “જે દિવસે તેનું ફળ ચાખશે, તે દિવસે તમે અચૂક મરશે.” જે સંસ્કૃતિએ સામાજિક વિરતાને ભેગે સમાજશાસ્ત્રને વિકસાવ્યું છે, તથા પહેલાનુ કામ બીજા વડે લેવા માંડ્યું છે, તેની “અધોગતિ” અચૂક ભાખી શકાય. એ પાયા ઉપર રચેલું “શાસ્ત્રશુદ્ધ રાજ્યતંત્ર” કે “સખાવતીની યેજના” તરત વિનાશ પામશે.
આ દૃષ્ટિબિંદુથી જ બીજા એક સામાન્ય વપરાશના શબ્દનું પણ નિરૂપણ કરવાની ખાસ જરૂર છે. તે શબ્દ “સ્વ-રાજ” છે. લેકશાહીને તે મુદ્રાલેખ છે. વસ્તુતાએ સ્વ-રાજમાં પિતામાં કશી જ જાદુઈ કરામત નથી, કે મનુષ્યની કામનાઓ સહેલાઈથી પાર પાડવાને તે કઈ ટૂંક માર્ગ નથી. તેની શાસ્ત્રીય વ્યાખ્યાની સરળતા સામે તેને આચારમાં ઉતારવાનું મુશ્કેલપણું હંમેશ ખડું છે. તેને અમલમાં મૂકવામાં જે ભો રહેલા છે, તેમનું કશું જ સૂચન તેની શાસ્ત્રીય વ્યાખ્યામાંથી મળતું નથી. ઊલટું, તેનાથી તે કદાચ ઢંકાઈ જાય છે. કઈ પણ નાગરિક પોતાની ગત ઉપર જ્યાં સુધી સ્વરાજ પ્રાપ્ત ન કરે, ત્યાં સુધી તે પોતાના દેશના સ્વરાજમાં સક્રિય ભાગ જ લઈ શકે. મોટાં મોટાં વ્યાપક મતદાર મંડળ અને સાર્વત્રિક મતાધિકારના આ દિવસે માં, ઉપરનો મુદ્દો ભારપૂર્વક ઠસાવવાની જરૂર છે. જ્યાં એ વસ્તુની ઉપેક્ષા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org