________________
સર્વોદયની જીવનકળા ઘણાની એવી માન્યતા થઈ ગઈ છે કે, સમાજને લગતી આવશ્યક બાબતે વિષે નિશ્ચિત જ્ઞાન તથા પ્રસિદ્ધ સિદ્ધાંતને સંગ્રહ ક્યાંક પડેલો છે; તેના ઉપર પૂરતો કાબૂ મેળવી દઈએ, એટલે એ અમેઘ સિદ્ધાંતો અનુસાર મનુષ્યજાતિને દેરવાની શક્તિ અને અધિકાર આપણને મળી જાય. આ ભ્રમ એમ તે ખાસ હાનિકારક નથી; પરંતુ, તેનાથી ઊંટવૈદાને તથા અનેક પ્રકારના બદમાશને “શાસ્ત્રીય”હેવાના બહાના હેઠળ “તારણહાર” તરીકે રજૂ થઈને, જનસમુદાયની અંધશ્રદ્ધા વટાવી ખાવાનું, અને સામાજિક વારસાને યથેચ્છ દુરુપયેગ કરવાનું બારણું ખુલ્લું થઈ જાય છે. “સમાજશાસ્ત્ર” એ નામથી જે કાંઈ જ્ઞાનસમૂહ ઓળખાય છે, તેમાં કોઈ પણ ખાતરીબંધ શાસ્ત્રની ચોકસાઈ કે એકસૂત્રતા નથી. છતાં, તેનામાં તે બધું છે એમ માની લઈને, મનુષ્યને લગતી બાબતમાં તેને લાગુ કરવામાં આવે, તે સમાજશરીરને ગંભીર પરિણામે વેઠવાં પડે.
કદાચ આ વસ્તુનું ભાન કરાવવાને યશ આપણે આપણા સામાજિક રેગમીમાંસકોને આપે. જોઈએ સમાજશાસ્ત્ર એટલે રેગનિદાનશાસ્ત્ર એ અર્થ તેઓએ કર્યો. પરંતુ એક શાસ્ત્ર તરીકે રોગનિદાનની અકસતા તો જાહેર છે; એટલે કાંઈ નહિ તે આટલું તે તેમણે દેખાડ્યું કે, રોગનિદાનશાસ્ત્રની પેઠે સમાજશાસ્ત્ર પણ તેમને કેવું અચોકસ લાગે છે. એ રીતે તેઓએ આપણને ચેતવ્યા છે કે, એ રેગમીમાંસકો સજા બને, ત્યારે આપણે તેમની પાસેથી વધારે પડતી આશા રાખવી ન જોઈએ. અને એ ચેતવણી આપણે ધ્યાનમાં રાખવી જરૂરી છે. કારણ કે, સમાજશાસ્ત્રને “આરોગ્ય અને સુખ’ પ્રાપ્ત કરવાના ટૂંકામાં ટૂંકા માર્ગ તરીકે રજૂ કરવામાં આવે, અથવા તે જ્યાં “લાભ બધી વસ્તુઓનો છે, અને હાનિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org