________________
સામાજિક વીરતા નાગરિક સમુદાયે એક મહાન સાહસના સાથીદારે તરીકે વફાદારીથી એકત્રિત ઊભા રહેવાની તત્પરતા દાખવે એના ઉપર છે. જગદ્રવ્યાપી અને જગદુ-ઘેરે સહકાર જ આજના જમાનાની મુખ્ય આવશ્યકતા છે; અને એ નહિ તે પછી, સંસ્કૃતિના સર્વતોમુખી અધઃપાત સિવાય તેને બીજે કઈ જ વિકલ્પ નથી. ગમે તે મજબૂત પક્ષ” ભલે હા, કે ગમે તે ડાહ્યો “વાદ” ભલે હો; પરંતુ, તેમાંનો કઈ આજની દુનિયાનો કે તેમાંની કોઈ પણ મોટી પ્રજાનો ભાર ઉપાડી શકે કે તેનું ભવિષ્ય દોરી શકે તેમ નથી. આ વસ્તુસ્થિતિને મુકાબલો કરવા માટે કોઈ અમુકતમુક સમાજ વિજ્ઞાન કે સમાજશરીરના રોગે પારખવાની અને તેમને ઉપચાર કરવાની શક્તિ કરતાં કંઈક વધારેની જરૂર છે. તેને માટે તો અતિશય મોટા પ્રમાણમાં વરતાની જરૂર છે; અને તે વીરતા પણ અરસપરસ વફાદારીની ગાંઠે બંધાઈ સંગઠિત સામને કરવાને માટે સજજ થયેલી હોવી જોઈએ. એટલે કે, તે જગદૂ-વ્યાપી તેમ જ જગઘેરી હોવી જોઈએ. સંસ્કૃતિની પ્રગતિનો અર્થ, કેટલાક ઈચ્છે છે તેમ, સુરક્ષિતતા તરફ ધીરે ધીરે આગળ વધવું, એ નથી. તેને અર્થ છે, જે સામાન્ય જોખમ બધા ઉઠાવી રહ્યા છીએ, તેની વધતી જતી સમજ, અને વંઘાઈ મે ન તેને સામને કરવાની વધતી જતી તૈયારી છે. સંસ્કૃતિની એકતા એટલે તે મહાન નિશ્ચયની એકતા..
જે સામાજિક સિદ્ધાંતો અને ધાર્મિક સિદ્ધાંતો – કારણ કે તેવા ધાર્મિક સિદ્ધાંત પણ છે – વૈયક્તિક કે સામુદાયિક હિંમતની જરૂરને ઉતારી પાડતા હોય, તેમનાથી ચેતતા રહેવાની હું તમને સલાહ આપું છું. સામાજિક કે વયકિતક, દરેક પ્રકારના શુભ જીવન સાથે જોખમનું મોટું પ્રમાણ અચૂક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org