SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વોદયની જીવનકળા માત્રમાં જ મર્યાદિત કરી મૂકીને સમાજશાસ્ત્રના આ સ્વરૂપને તે વિપરીત બનાવી દે છે. એ નિરૂપણ સ્વીકારીએ, તે તે નાગરિકધર્મનું કર્તવ્ય માત્ર “સુધારવામાં કે “સમારવામાં” જ આવી રહે અને તેની સૌથી વધારે અગત્યની જે રચનાત્મક બાજુ છે, તે તે ભુલાઈ જ જાય. એ તે, કઈ શિલ્પશાસ્ત્રીને, તેનું કામ ખંડિત થયેલાં મકાનોને સમારવાનું જ છે એમ માની, તેટલા પૂરતી જ કેળવણી આપવા જેવું થાય. વળી તે જાતના નિરૂપણથી, આપણે બીજા લોકોમાં શો બગાડ પિઠે છે, તે ઉપર વધારે પડતું ધ્યાન આપતા થઈ જઈએ છીએ; અને આપણામાં શો બગાડ પેઠે છે, તેના ઉપર નહીં જેવું જ ધ્યાન આપીએ છીએ. નાગરિક કંઈ મુખ્યતઃ પિતાના પાડોશીઓની બીમારીઓને દાક્તર નથી. પિતાનાં કર્તવ્ય, પિતાના હકો, અને પિતાની ફરજો વિષેની જે કલપનાથી તે એવું માનવાને પ્રેરાય, તેના જેવી બીજી કઈ વધુ નિર્માલ્ય કલ્પના ન હોઈ શકે. અને છતાં, આજકાલના સમાજશાસ્ત્રીઓમાં આ જાતની કલ્પના જ વધુ પ્રચલિત છે; અને તેને પરિણામે, એક બાજુ તેવા દાક્તર થવા ઈચ્છનારાઓ, અને બીજી બાજુ દાક્તરના વેશમાં ફરતા તે જાલીમોને હાથે દરદી તરીકે સારવાર પામવા કરતાં જેઓ છેક છેવટ સુધી લડી લેવાના મતના છે તે લોકો, – આ બે વચ્ચે ખુવારીભર્યો કલહ અચૂક જન્મે, એ વાતની કોણ ના પાડી શકશે? એ પ્રકારે દાક્તર થવા ઈચ્છનારાઓ અને બીજી બાજુ તેમના દરદી નહિ થવા માગનારાઓ વચ્ચેના ઝઘડામાં જે અગત્યને મુદ્દો છે, તે જ ભુલાઈ જાય છે. આપણી સંસ્કૃતિ પ્રગતિ કરતી કરતી એવી જોખમભરી દશાએ આવી પહોંચી છે, કે જ્યારે તેના ટકી-ન-ટકી રહેવાનો આધાર બધી પ્રજાઓના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005191
Book TitleSarvodayni Jivankala
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1955
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy