SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વોદયની જીવનકળા સંકળાયેલું હોય છે જ. એરિસ્ટોટલ ભારપૂર્વક* કહેતા કે શુભ જીવન કઠેર જ હોય. આ કઠેરપણું ભારે પરિશ્રમ પૂરતું જ નહિ, પરંતુ તેથી ઊંડા અર્થમાં, એટલે કે, ભીષણ સંગ્રામના અર્થમાં પણ સમજવાનું છે. અર્થાત્ તેમાં નિષ્ફળતા કે હારનો સંભવ હંમેશાં મેજૂદ હોય છે. જેમને પોતાનું સુખ અથવા સહીસલામતી જ વહાલાં છે, તેમની દૃષ્ટિએ શુભ જીવન વ્યક્તિ માટે કે સમાજ માટે “સહીસલામત” તે ન જ કહી શકાય. સ્વભાવથી જ તે જોખમભરેલું છે. અને એને વિચાર કરું છું ત્યારે મને લાગે છે કે, જોખમ અને હિંમતનું મિલનસ્થાન એ સામાજિક તેમ જ વૈયક્તિક ગુણનું પણ ઊગમસ્થાન છે. આગળ વધેલી સંસ્કૃતિની દશા હંમેશ કટેકટીભરી હોય છે. અને એવી દશાને આપણે નજીક આવેલા વિનાશરૂપ નહિ પણ પડકારરૂપ માનતાં શીખવું જોઈએ; એટલે કે, તે અનિષ્ટ નથી પણ ઈષ્ટ છે, એમ લખવું જોઈએ. કટોકટીનો દિવસ જ આપણું સગુણાનો જન્મદિવસ છે. આ વસ્તુ કઈ અકસ્માતરૂપ નથી. જગત જેટલાં જ ઊંડાં કારણોથી સંસ્કૃતિને હંમેશાં કટેકટીને સામનો કરે પડે જ છે; હંમેશાં તેણે તેમ કર્યું છે, અને હંમેશાં તેમ જ કરશે. એ બાબતમાં સંસ્કૃતિ ધર્મને મળતી આવે છે. ધર્મની પેઠે સંસ્કૃતિ પણ પિતાનાં મૂલ્ય ત્યાં સુધી જ કાયમ રાખી શકે, કે જ્યાં સુધી વિકસતી જતી દુનિયામાં નીપજતી જતી ખેંચતાણનો વીરતાપૂર્વક સામને કરવામાં આવે; કારણ કે, જગતના ઘડતરમાં રહેલાં કીમતી શ્રેયે અને મનુષ્યહૃદયમાં રહેલી વીરતા વચ્ચે ઊંડે સંબંધ છે. સુધરેલો સમાજ સંપૂર્ણ સુરક્ષિતતાપૂર્વક નિરાંતે સેડ તાણ સૂઈ શકે, એવી દશા પ્રાપ્ત કરવા માટે કોઈ પણ જાતને માર્ગ કલ્પી શકાતે નથી. ગમે તેવી સારી સ્થિતિમાં પણ બંધિયારપણે પડી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005191
Book TitleSarvodayni Jivankala
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1955
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy