SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ४० સર્વોદયની જીવનકળ હાથમાં મૂકવા માંડ્યાં છે, તેમનો યોગ્ય ઉપયોગ કોઈ ઉત્સાહપૂર્ણ, ખુશમિજાજ, આનંદી અને વીર પેઢી જ કરી શકે. સામાજિક રોગમીમાંસકોએ કરેલાં કથનોથી જે જમાનો ભીરુ તથા પિતાને વિષે ગાભર બની ગયેલ છે, માનસશાસ્ત્રના ઓઠા હેઠળ ચાલતા વિકૃત આત્મપૃથકકરણથી જે જમાને પિતાને આત્મવિશ્વાસ હારી બેઠા છે, જીવનની કાળી બાજુનો ઉપયોગ કરી લેનારા (અને એ ધંધો હંમેશ નફાકારક હોય છે) સાહિત્યસર્જકોએ જે જમાનાને નજીક આવતા કલ્પિત વિનાશમાં માન્યતાવાળો કરી મૂક્યો છે, અને તેથી જે એવું માનતા થઈ ગયા છે કે, રોજ સવારે ખિન ચિત્ત ઊઠવું અને રોજ રાતે નિરાશાયુક્ત ચિત્ત સૂવા જવું એ જ કેળવાયેલા માણસનું “ખરું કામ’ છે – આવા જમાનાના હાથમાં આ પ્રચંડ બળે જઈ પડે, તે માનવજાત માટે કેવું ભવિષ્ય નિરમાયું છે, તેની કલ્પના કરતાં જ કમકમાં આવી જાય છે. નાગરિકધર્મની આપણી વિચારણા, સમાજશરીરમાં જે કાંઈ આરોગ્યપ્રદ તો છે, તેમના ઉપર કેન્દ્રિત થવી જોઈએ; જે ભાગ રેગી થયેલ હોય તેના ઉપર નહિ. હંમેશા યાદ રાખવું જોઈએ કે, જેમ કેટલાંક અનિષ્ટ તત્ત્વોને દર કરવાનાં હોય છે, તેમ કેટલાંક સારાં તત્ત્વોનો વિકાસ પણ કરવાનો હોય છે. અને અનિષ્ટ તત્તે ગમે તેટલાં વધારે તથા પ્રબળ હોય તે પણ, તેમને દૂર કરવાનો વધુમાં વધુ સંભવિત માગ એ છે કે, સારાં તત્ત્વનો વિકાસ કરે. આ બધું તમને ઠસાવવાનો હું પ્રયત્ન કરું છું, પરંતુ એ પદ્ધતિ આજકાલના સમાજસુધારકમાં સંમાનિત નથી, એ હું જાણું છું. આજકાલની ફૅશન એ છે કે, જે અનિચ્છે અને ગેરવ્યવહાર સમાજજીવનને દૂષિત કરતા દેખાય, તેમની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005191
Book TitleSarvodayni Jivankala
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1955
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy