SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ નાગરિકધર્મનું ત્રિમુખી દયેય ૩૯ સુધારનાર કુદરતમાં આનંદપૂર્ણ શ્રદ્ધા હતી. અને જે જમાનામાં ઇંગ્લંડ દેશ કુદકે ને ભૂસકે સમૃદ્ધ થતું જ હતું, તે જમાનામાં તે સ્વાભાવિક પણ કહેવાય. તેથી તેણે પોતાની નવલકથાઓના વરતુમાં “અકસ્માતો” એવી રીતે ગોઠવ્યા છે કે જેથી તેમાંની ઘણીખરીને અંત સુખી આવે છે. પરંતુ ડિકન્સન નંબર આજકાલ બહુ પાછળ પડી ગયા છે. પરંતુ મિ. હાડ, કે જેણે પોતાના “અકસ્માતે” બધું બગાડવા માટે જ ગોઠવ્યા હોય છે, તેની નવલકથાઓ જ્યાં જ્યાં શિષ્ટ સાહિત્યની માગ હોય છે, ત્યાં “યુવાનો સાથી” થઈ પડી છે. બંને દાખલામાં “અકસ્માતનો દેરીસંચાર લેખકની સર્જક કલ્પનાએ જ કરેલો છે; પરંતુ એક યા બીજા કારણથી – કે જેને માટે કદાચ આજના સમાજતત્ત્વરે જ જવાબદાર છે–ડીકસે અપનાવેલા શુભલક્ષી અકસ્માત કરતાં મિ. હાડના અશુભલક્ષી અકસ્માતે આપણી આજની પ્રકૃતિને વધુ રોચક થઈ પડે છે. મિ. હાડની નવલકથાઓ અને સ્પેશ્વરનું પુસ્તક “પશ્ચિમને અધઃપાત” એ બંને નજીકમાં આવનારા વિનાશની કલ્પનાના વાતાવરણથી ઘેરાયેલાં છેઃ હાડની નવલકથાઓ ઝીણું વિગતોમાં ઊતરે છે, ત્યારે સ્પેલરનું પુસ્તક વ્યાપક સિદ્ધાંત તારવે છે. બંનેમાં આપણે રેગચિકિત્સકને તેના ગમગીન કામે લાગેલો જોઈ શકીએ છીએ. છતાં આ દિવસોમાં આપણે મંદ કે ઠંડા બની જઈએ એ પાલવે તેવું નથી. અને આપણામાંના કેટલાકની પિઠે માનસિક મેજ કે વાણીવિલાસના વિષય તરીકે આપણે નિરાશાનું અનુશીલન કરવા બેસી જઈએ, તે આપણે ભારે જોખમ ખેડી રહ્યા છીએ, એમ કહેવું જોઈએ. કારણ કે, વિજ્ઞાને સારું યા છેટું કરવાનાં જે કારમાં હથિયારે આપણા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005191
Book TitleSarvodayni Jivankala
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1955
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy