________________
નાગરિધર્મનું ત્રિમુખી દયેય બંધી કરવા વડે જ જગતની સુધારણા કરવી. જેમ કે, લડાઈ, હરીફાઈ, પરિગ્રહીપણું, (અમેરિકાની પેઠે) મદ્યપાન
–એમ અનિષ્ટોની જે કઈ અનંત હારમાળા નજરે પડે, તે તમામની બધી કરી દેવી. મારા કેટલાય જુવાન તથા ઉત્સાહી મિત્રોને જ્યારે મેં જરા ઝીણવટથી પૂછ્યું છે, ત્યારે મને એ જ જણાયું છે કે, જે વસ્તુઓ અનિષ્ટરૂપ છે, તેમની બંધી કરવાનો ખ્યાલ જ સુધારક તરીકે તેમનામાં પ્રબળ હોય છે. તેઓ બધા પોતપોતાની ઢબે નિષેધવાદીઓ જ છે.
પરંતુ, જે સમાજ કે સંસ્કૃતિ વિષે તમે સૌથી સારું એટલું જ કહી શકો કે, તેનાં બધાં અનિષ્ટોની યેગ્ય બહુમતીથી કે તેવી બીજી રીતે “બંધી” કરી દેવામાં આવી છે, તે બહુ સ્કૂર્તિદાયક વસ્તુ નહિ હેય. આપણે બધા જ જાણીએ છીએ કે, નીતિભાવનાના વિકાસક્રમમાં ( બાઈબલની) દશ આજ્ઞાઓના જમાનામાં ચેરી, હિંસા, અબ્રહ્મચર્ય, પરિગ્રહ અને અસત્ય જેવી બાબતોને “રોકવાના” ઉપાય તરીકે તેવાં જોખમનાં સ્થળોએ “તારે આમ ન કરવું” એવી બધી કરી દેવી, એ જ નીતિશાસ્ત્રની રીત હતી. પરંતુ પછીની ભૂમિકાએ અને ઉચ્ચતર દોરવણું હેઠળ, એ બધાં “તારે આમ ન કરવું’નાં વિધાનોને બદલે “તારે આમ કરવું” એવાં વિધાને પ્રચારમાં આવ્યાં. તેની પેઠે હું પણ આપણા નાગરિકધમની ભાવનાની બાબતમાં નિષેધાત્મકને બદલે વિધાનાત્મક કલ્પના કરવાની તમને ભલામણ કરવા માગું છે. પ્રથમ તો સમાજનાં અનિષ્ટ તત્ત્વોની બંધી કરવાની વાતને બદલે, સમાજનાં ઉત્તમ તને વેગ આપવાની વાતને તમારી કલ્પનામાં પ્રાધાન્ય આપે. કારણ કે, કશાને વેગ આપ એ કાળ-ભાવનાવાળાની કામ કરવાની ખાસ રીત છે; અને કશાની બંધી કરવી એ સ્થળ-ભાવનાવાળાની રીત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org