________________
સામાજિક રેગમીમાંસા
૩૧ ચડિયાતા દેખાય. આપણે અત્યારે આવાં આવાં સાધના જમાનામાં જીવીએ છીએ; તેને કૃત્રિમ અવયનો યુગ પણ કહી શકાય.
સમાજને એક યંત્ર ગણવાને બદલે જીવંત શરીર ગણતા થઈ એ તેની સાથે, આપણું આગળ બે રસ્તા આવીને ખડા થાય છે. તેમાંથી એક યા બીજાને સ્વીકારીએ, તે અનુસાર આપણી નાગરિકધર્મ વિષેની સમજમાં મેટો ભેદ પડી જાય છે.
પ્રથમ તો, સમાજને જીવંત શરીર ગણીએ, તેની સાથે, તેને જીવંત વસ્તુ તરીકે થઈ શકે તેવી બીમારીઓ, વિકાર, ગર્ભસા, પીડાઓ અને વેદનાઓ પ્રત્યે જ આપણું લક્ષ ખેંચાઈ જાય છે. આપણું ઘણા પ્રસિદ્ધ ફિલસૂની બાબતમાં તેમ બન્યું છે. જે આપણો સ્વભાવ તેવા વલણવાળો હોય – અને આ બાબતમાં સ્વભાવને ખાસ લેવાદેવા છે – તે સમાજ આપણને મૂળે એક બીમાર દરદી જેવો દેખાય કે જેને સમાજ-રોગ-ચિકિત્સકના કે સમાજવિદ્યા-વિશારદના ઉપચારની કાલિક જરૂર હોય. પછી નાગરિકની ફરજ અને જવાબદારીઓ” પણ એટલામાં જ સમાઈ જાય છે, તેણે એગ્ય ઉપચારો શેધવા અને અજમાવવા. અર્થાત્ તેને વિશારદે તરફથી જે દવાઓ બતાવવામાં આવે, તેના ઘૂંટડા તેણે ઉતારી જવા. બીજી બાજુ તેના હકો પણ એટલામાં જ આવી રહેવાના છે, બીજા બધા સાથે પોતે જે સર્વસાધારણ રેથી પીડાતે ગણાય, તેમનો તેણે “ ઉપચાર કરાવી ભલે પછી તે ઉપચાર મફત મળવાનું હોય કે નહિ. આ દૃષ્ટિબિંદુને “રોગ-મીમાંસક” દૃષ્ટિબિંદુ કહી શકાય. આપણું જમાનાની સામાજિક ચળવળ ઉપર આ દૃષ્ટિબિંદુએ ભારે કાબૂ પ્રાપ્ત કર્યો છે, એ વસ્તુ નકારી શકાય તેમ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org