________________
સર્વોદયની જીવનકળા શકીએ, અને સામુદાયિક હિતની આપણી કલ્પના અનુસાર તેને ફરીથી નવસર બેઠવી શકીએ; તથા એક વાર તેને એ પ્રમાણે ગોઠવી દીધી, એટલે પછી સહેલાઈથી તેના ઉપર કાબૂ રાખી શકાય, તથા આપણે ઈચ્છલાં પરિણામે તે લાવશે એ તેના ઉપર આધાર પણ રાખી શકાય.
પરંતુ સમાજશરીરના કોઈ ભાગ કે બાજુને યાંત્રિક રચનાનો ખ્યાલ લાગુ કરે એ ભારે ભ્રમજનક વસ્તુ છે. ખરું કહીએ તો સમાજજીવનના કેઈ અંશને શુદ્ધ યાંત્રિક પરિભાષામાં ઉતારી શકાય નહીં. સમાજવ્યવસ્થા માં કે તેના લેખિત બંધારણમાં તેનું જે ખોખું કે માળા લક્ષિત થાય છે, તે પણ જીવંત વસ્તુ હોય છે, અને જ્યાં સુધી બાકીના શરીર સાથે તે પ્રાણયુક્ત રહે છે, ત્યાં સુધી જ સમાજશરીરના આધારભૂત હાડકાંના માળા રૂપે કામ આપે છે. ભલે તે હાડકાંને માળે હોય; પણ તેને છૂટે પાડી શકાય નહીં, અને વિશારદ વડે નવા આકારમાં ફરીથી ગોઠવી શકાય નહીં. જે ખોખું અત્યારે છે, તેમાં નવી શક્તિ પૂરવા સિવાય સમાજશરીરના બંધારણમાં નવી સુધારણા વડે બીજું કાંઈ ખાસ કરી શકાય નહીં. અને તે કામ જ ઘણું કરવા જેવું છે. અલબત્ત, સમૂળગે પગ ન હોય, તેના કરતા લાકડાનો પગ સારે; અને એવા વખત પણ આવે છે, જ્યારે આખા ને આખા સમાજે લડાઈ કે ક્રાંતિને કારણે અપંગ બની જવાથી એવાં કામચલાઉ સાધન ઉપર જ નભતા બની જાય છે. પરંતુ તેવા “લાકડાના પગ” ગમે તો સંરક્ષણાત્મક જકાતનું, મહાજનોના નિયંત્રણનું, બેકારી માટેની મદદનું, અને એવી એવી ચતુરાઈભરી યુક્તિપ્રયુક્તિઓનું સ્વરૂપ ધારણ કરે તો પણ અંતે તે તે બધું સમાજના સ્વાભાવિક અવયવોના કંગાળ અવેજ રૂપ છે. પછી ભલે યાંત્રિક રચનાની બાબતમાં તેઓ સ્વાભાવિક અવયવો કરતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org