SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ સામાજિક રેગમીમાંસા જોઈએ. રાષ્ટ્રસંઘનો કાઈ-ભાવનાની દૃષ્ટિએ અર્થ કરીએ, તો તે જગતની ટ્રીપણાની શક્તિની કટીરૂપ છે. અને એ જ વસ્તુ, જે જે વ્યવસ્થા કે તંત્ર વિષે વિચાર કરીએ, તે દરેકની બાબતમાં તે તે પ્રમાણમાં સાચી છે. ભલે પછી તે સત્તાની વહેચણ માટેની રાજકીય વ્યવસ્થાને લગતી વાત હોય, કે ધનની વહેંચણી માટેની આર્થિક વ્યવસ્થાને લગતી વાત હોય, કે સંસ્કારની વહેંચણી માટે કેળવણીની વ્યવસ્થાને લગતી વાત હેયઃ તેમની પાછળ જે ટ્રસ્ટીપણું નહીં હોય, તે તેઓ કરી શકશે નહીં – સમય તે બધી નાશ કરી નાખશે. સામાજિક રોગમીમાંસા નવું તંત્ર જી કાઢવાનું કામ ભલે હંમેશાં રસપ્રદ અને કઈ વાર ઉપયેગી પણ હોય; પરંતુ માનવ-વ્યવહારની દિશા નક્કી કરવામાં એ વસ્તુ, સ્થળ-ભાવનાવાળા માને છે તેના કરતાં બહુ ઓછો ભાગ ભજવે છે. અત્યાર અગાઉ આ અતિશય પુરાણી દુનિયામાં કેટલીય તંત્ર વ્યવસ્થાઓ પેજવામાં આવી છે અને બીજી કેટલીય હજુ જાય છે. તેમાંની ઘણીની માનવ આચાર ઉપર કંઈક અસર પણ પડી હશે; પરંતુ, હું જાણું છું ત્યાં સુધી, તેમાંની કેઈએ પૃથ્વી ઉપર મૂર્ત રૂપ ધારણ કર્યું નથી. માનવ સમાજ એ કંઈ ગોઠવેલી રચના નથી, પરંતુ જીવંત શરીર છે. અને તેથી જ તેને રચવાની કે ફરીથી નવેસર ગોઠવવાની આપણી શક્તિ મર્યાદિત છે. આપણે આપણે પિતાનો નાશ કરી શકીએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005191
Book TitleSarvodayni Jivankala
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1955
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy