________________
૨૪
સર્વોદયની જીવનકળા એ અર્થમાં સમાજનો નાશ કરી શકાય, એ વસ્તુ કદાચ સાચી છે અને કેટલાક લોકો “સમગ્ર માનવ જાતિના આપઘાતની વાત કરે છે તેમને મતે આપણે આજકાલ એ જ કામ કરવા લાગી પણ ગયા છીએ. પરંતુ સમાજનો જે એક વાર નાશ થાય જ, તે પછી તંત્રવ્યવસ્થાની કોઈ ચેજના કે કાર્યક્રમ તેને ફરી જીવતે નહીં કરી શકે. કારણ, એ તો વળી વધુ સ્પષ્ટ છે કે, બાકીને આપણા બધાની સાથે જ તે તંત્રવ્યવસ્થાના યાજકે પણ નાશ પામી ગયા હશે.
આપણી બધી તંત્રવ્યવસ્થાની જનાઓ અને કાર્યક્રમે તેમની ભૂમિકા તરીકે જીવંત સમાજને જ સ્વીકારે છે. તેઓનો ઉદ્ભવ સમાજના જીવનમાંથી જ થયે હેય છે; તેમ જ તેમને અમલમાં મૂકવાને પણ રામાજની જ શક્તિની આવશ્યકતા હોય છે. તેથી, જેમ જેમ તે વ્યવસ્થાઓ અને કાર્યકમ વધુ સાહસભય હોય, તેમ તેમ સમાજ પણ તે સુધારણાનાં સાહસો સ્વીકારવા જેટલો વધુ પ્રાણવાન અને શક્તિશાળી હોવો જોઈએ. એનો અર્થ એ થયું કે, આપણે સમાજસુધારની શરૂઆત એવાં કુથી તો ન જ કરવી જોઈએ કે જેથી સમાજની શક્તિ ઓછી થઈ જાય, તેને જેઓ પિતાને વિષે ઉદાસીન અને ગમગીન બનાવી દે. તથા તેના ઉપર બીમારીનું વાતાવરણ ફેલાવી દઈને તેને નૈતિક તથા ભૌતિક દૃષ્ટિએ નબળો પાડી દે. કારણ કે, તે રીતે તેની હિંમત તથા શક્તિ છેક જ ઓસરી જાય, ત્યારે તે આત્મસુધારનું કઈ મહાન કૃત્ય કરી બેસે એવી આશા રાખવી ફેકટ છે. જે સમાજ એ રીતે નબળા પડી ગયે હેય, કે હિંમત હારી ગયું હોય, તેની પાસે પોતાની સુધારણા માટે જોઈતી શકિત નહી હોય; એટલું જ નહીં, પણ તે તે સુધારણાની નબળી તથા ટૂંકી દૃષ્ટિવાળી રીતા સ્વીકારીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org