________________
ટિપ્પણુ પા. ૧૦ વર્ણન તે કરી શકો, તેનું કારણ એ હતું કે, જીવતેજીવત તેને નરકના દરેક દુઃખનો અનુભવ આ પૃથ્વી ઉપર જ કરવો પડ્યો હતો. એક શહેરથી બીજે શહેર તે નાસભાગ કરતો રહ્યો; ન મળે કઈ મિત્ર; અને દુશ્મનોનો પીછો તો સર્વત્ર ચાલુ જ હોય. કેટલીક વાર તે ભૂખે મરવાની અણી ઉપર આવી ગયો હતો.
' આ અરસામાં ૪૫ વર્ષની ઉમરે, તેણે પિતાનું મહાકાવ્ય “ડિવાઈન કોમેડી” લખવાનું શરૂ કર્યું. તેને કારણે જ કદાચ તે ગાંડપણ કે આત્મહત્યામાંથી બચી ગયે. સત્યનું અનુસરણ, અને સૌંદર્યનું સર્જન–એના જેવી, માણસના હૃદયને કાટરડો સાફ કરનાર બીજી કઈ વસ્તુ નથી. આ કડવી દુનિયા તરફ કાવ્ય કે કથાના વસ્તુ તરીકે જોઈએ, તો અંતરનો ડંખ ચાલ્યો જાય છે. ડેટેના કાવ્યનું વસ્તુ આવું છે: “જીવનની અધવચ” તે એક ગાઢ અરણ્યમાં અટવાઈ પડ્યો. વર્ઝલને અનુસરતો તે નરકના દરવાજે આવી પહોંચે. તેના દરવાજા ઉપર લખ્યું હતું, “જેઓ અહીં દાખલ થાય, તેમણે સર્વ આશાઓ તજવી.” તેણે નરકકુંડમાં બધા ફિલસૂફેને ટોળે કરેલા જોયા. એ ભયંકર વેદનાની જગાએથી વઈલ સાથે તે શુદ્ધીકરણની ભૂમિ “પગેટરી”માં ગયે, અને ત્યાંથી બિયેટીસની દોરવણી હેઠળ સ્વર્ગમાં ગયે. આપણું માનવજીવન, તે પ્રમાણે, હંમેશાં એક ભયંકર નરકરૂપ છે–સિવાય કે ડહાપણ (વજીલ) આપણુ બધી દુષ્ટ વાસનાઓને જોઈ કાઢે, અને પ્રેમ (બિયેટ્રીસ) આપણને શાંતિ અને સુખને માર્ગે પહોંચાડે. . પા. ૧૦. કાર્લ માકર્સ (ઈ. સ. ૧૮૧૮-૧૮૮૩) આધુનિક શાસ્ત્રીય સમાજવાદનો પિતા. તેને જન્મ ટ્રેઝ (રહાઈનલેંડજ્જર્મની)માં થયે હતો. તેને બાપ મૂળે યહૂદી વકીલ હતા, અને પછીથી ખ્રિસ્તી થઈ ગયે હતો. માકર્સ પહેલેથી પ્રખર અભ્યાસી હતો. તેણે પ્રથમ કાયદાને, પછી ઈતિહાસને, અને પછી ફિલસૂફીને અભ્યાસ કર્યો. તેવીસ વર્ષની ઉમરે તત્વજ્ઞાનનો વિષય લઈ, તેણે પી. એચ. ડી.ની પદવી પ્રાપ્ત કરી. તેના આગળ પડતા વિચારેને કારણે બન યુનિવર્સિટીએ તેને પોતાને ત્યાં નોકરીમાં રાખવા ના પાડી. પછી તેણે વર્તમાનપત્રોમાં લેખ લખવાનું શરૂ કર્યું. જૂના જમાનાના જરીપુરાણા
ખ્યાલ ઉપર હલ્લે કરી, જર્મનીમાં આધ્યાત્મિક સ્વતંત્રતાની સ્થાપના અર્થે (તેના અર્થ પ્રમાણે ધર્મની. બાબતમાં અનિયંત્રિતતા, અને રાજકારણ બાબતોમાં ઉદારમતવાદીપણું) તેણે જેહાદ શરૂ કરી. ઈ. સ. ૧૮૪રમાં ૨૪ વર્ષની વયે રહાઈન પ્રાંતના એક ઉદારમતવાદી પત્રના તંત્રી તરીકે તે ચૂંટાયે. પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org