SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૭ સામાજિક ખેંચતાણ - જ દુખ પણ જીવનનું આવશ્યક તત્ત્વ છે; સર્વોચ્ચની ઉપાસના કરવા જતાં તેથી હલકા સર્વને વિધ પિતા ઉપર વહેરી લેવું પડે છે; તથા મિત્રાચારી કરવા જતાં જ વેર પણ ઊભાં થાય છે. કાળનાં સંતાન તરીકે આપણા સ્વભાવમાંથી જ આ બધી ખેંચાતા ઊભી થાય છે. તેથી જ કાળ-ભાવનાથી વિચાર કરવાની પદ્ધતિ આપણે સળંગ સ્વીકારી છે. * આપણે ઉપર ચર્ચેલા મુદ્દાઓ ઉપર આપણું માનવજાતિના કાળભાવનાવાળા જે જે સમર્થ વિચારકેએ પિતાના ડહાપણને પ્રકાશ ફેંક્યો છે, તે સૌમાં એડમંડ બક જે માટે વિચારક બીજે કંઈ હું જાણતો નથી. તેના કરતાં બીજા કેઈનું બાણ મારા ઉપર વિશેષ નથી. આ વ્યાખ્યાનો તેના શબ્દથી જ પૂરાં થશે. મેં જે કંઈ કહેવાનો પ્રયત્ન કર્યો છે, તે બધાને સારરૂપ એ શબ્દો છેઃ તેથી, આપણું સ્વભાવમાં રહેલી દરેક જાતની ઉદાર અને પ્રામાણિક લાગણીઓને આપણા મનમાં કાળજીપૂર્વક ખીલવવાની છે, તથા તેમને પૂરેપૂરી વિકસિત તેમ જ સબળ બનાવવાની છે. જે વૃત્તિઓ ખાનગી જીવનમાં શોભે છે, તેમને સામુદાયિક જીવન ચલાવવામાં પણ ઉપયોગમાં લેવાની છે– અર્થાત્, સ્વદેશાભિમાની બનતી વખતે આપણે ભૂલવાનું નથી કે આપણે સહસ્થ પણ છીએ. આપણે મિત્રાચારીએ કરવાની છે અને વેર વહોરવાનાં છે- તે બંને આપણામાં પૂરજોસમાં હોય. પરંતુ પહેલાની બાબતમાં આપણે દઢ રહેવાનું છે, જ્યારે બીજાની બાબતમાં આપણે ઢીલા રહેવાનું છે. આપણે આપણા સિદ્ધાંતને આપણી ફરજો અને આપણું પરિસ્થિતિ અનુસાર ઘડવાના છે. આપણે એવી ખાતરી રાખવાની છે કે, જે ગુણ આચરે શક્ય નથી, તે વસ્તુતાએ સ–૧૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005191
Book TitleSarvodayni Jivankala
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1955
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy