________________
૨૫૬
સર્વોદયની જીવનકળા
"
અનિષ્ટો, ' શારીરિક-માનસિક-કે-નૈતિક સરાવવામાન દ્વારા સમાજને જે દ્રોહ કરવામાં આવ્યે છે, તેની જ સાબિતીરૂપ છે. સમાજના દરેક નાગરિક કામદારે પાતાના રાજના કામકાજ દ્વારા પોતાનાં માનવ એની જે સેવા કરવાની છે, તે તેણે પૂરેપૂરી કે વફાદારીથી નથી અાવી; તે પેાતાની એ પ્રાથમિક ફ્રજમાં ચૂકયો છે; તેને જ કારણે આ મધાં અનિષ્ટો ઊભાં થયાં છે. તમે બીજા કારણેા પણ વિચારી શકે; પરંતુ આ મુખ્ય કારણ જો નહીં વિચારે, તા સામાજિક અનિષ્ટોનું અસ્તિત્વ તમે સમજી જ શકવાના નથી.
હું માનું છું કે, ભવિષ્યના નીતિધમ જગતના રોજિંદા કામકાજ દ્વારા અદા થતી ફરજના પાયા ઉપર જ રચાશે. તે પાયા ઉપર જ કળા, નીતિ, અને ધમ પેાતાની ઇમારતા ખડી કરશે. એક વાર તે ઇમારતા એ પાયા ઉપર ખડી થઈ, એટલે તેઓ દ્વારા શી શી સિદ્ધિએ સાધી શકાશે, તેની કશી જ મર્યાદા ન બાંધી શકાય. કારણ કે, તે વખતે તેા કળા ઉદ્યોગ સાથે જોડાઈ હશે અને મજૂરી કેળવણી સાથે જોડાઈ હશે.
સારી રીતે કામકાજ કરવું - ઉમદા કામદારપણુ એ નિયમ વિશ્વ જેટલે ઊંડા છે. તેને આપણા જીવનનેા નિયમ અનાવવાથી આપણે સમગ્ર વિશ્વના નાગરિક બની શકીએ છીએ એટલું જ નહી, પણ ‘યુગેાને સાળ ઉપરના કપડાની જેમ’ વણનારા, તથા જુદા જુદા અવયવેાના અનંત વિધા વડે સમગ્ર અવયવીમાં સુંદર સહકાર સાધનારા, તથા તાંતણાને તાડી નાખે તેવા દેખાતા ખેંચાણ વડે જ વિશ્વરૂપી કપડું સિદ્ધ કરનારા ઈશ્વરના પણ સાથીદારો બનીએ છીએ. વીર નાગરિકે પોતાના ‘સામાજિક દૃષ્ટિએ ઉપયોગી ધંધો ’ તે ક્ષેત્રમાં શેાધવાને છે; અને યાદ રાખવાનું છે કે, સુખ જેટલું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org