________________
સામાજિક ખેંચતાણ
૨૫૫ નીતિના આ મૂળભૂત પ્રશ્નો છે. પોતાના ઉમંગથી પિતાની ફુરસદ કે પિતાના પૈસા જાહેર હિતમાં મફત ખર્ચવાપી સમાજસેવા માટે પણ મારા મનમાં પ્રશંસા સિવાય બીજો કશે ભાવ નથી. એ બધાં કૃત્યે પણ સમાજસેવાના ઉમદા આદર્શોથી ઘેરાયેલાં હોય છે, તેમ જ પહેલાંના જમાનામાં કદી ન દેખાઈ હોય તેવી સેવાની તમન્ના આપણને તે બધામાં જોવા મળે છે. સ્થાનિક સુધરાઈ કે પંચાયતના સખત કામકાજને બોજો ઉઠાવ, ઇસ્પિતાલની વ્યવસ્થા કરવી, મજૂરનાં કોટડાની વેતરણ કરવી, બાળકોની સંભાળ રાખવી, રેગે ઊભા થતા અટકાવવા, દારૂડિયા, ગુનેગાર અને અવળે માર્ગે ચડેલી પતિત સ્ત્રીઓને સુધારવાં, વગેરે માનવહિતનાં કામમાં સમય તેમ જ શક્તિ નિસ્વાર્થપણે ખર્ચતું, તથા સતત આવતી મુશ્કેલીઓ, નિષ્ફળતાઓ અને નિરાશાઓ સામે, ઈનામ કે પ્રશંસાની કાંઈ પણ આશા વિના, વીરતાથી ઝૂઝતું એ સ્ત્રીપુરુષનું ટેળું દેખી, આપણે પ્રશંસા અને આશ્ચર્યની લાગણીથી દબાઈ જઈએ છીએ. આપણું મેટાં શહેરના સામાજિક જીવનમાં જનસેવાની ભાવનાનું જે પ્રબળ મે ક્ષણે ક્ષણે ઊછળી રહ્યું હોય છે, તે અનુભવ્યા વિના આપણાં શહેર શું છે, તથા તે શાનાં પ્રતિનિધિ છે, એ વસ્તુ સમજી જ ન શકાય. આવી વસ્તુસ્થિતિ ઊભી કરી શકનાર સંસ્કૃતિના ઉજજવળ ભાવી માટે સારામાં સારા શબ્દો પણ પૂરતા નથી.
પરંતુ આટલા મોટા પ્રમાણમાં સ્વાર્થ ત્યાગ તથા વીરતા દાખવીને હજારે સેવાભાવી સ્ત્રી પુરુષોને જેમને સામનો કરે પડે છે, તે બધાં અનિષ્ટો આવ્યાં છે ક્યાંથી ? તેમનું અંતિમ મૂળ શું છે? હું તે તે પ્રશ્નને એ જવાબ આપું કે, આપણે પેલી બીજી જાતની વધુ સૂક્ષ્મ સમાજસેવામાં નિષ્ફળ નીવડયા છીએ, તે જ તે બધાં અનિષ્ટોનું કારણ છે. એ બધાં “સામાજિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org