________________
૨૫૪
સર્વોદયની જીવનકળા વળે, અને ત્યાં સુંદર શબ્દમાં ખરચાઈ જવાને બદલે આપણી પાસે આપણું કામકાજ અને ધંધો પરિપૂર્ણતાથી અદા કરાવવામાં ખરચાય. એ જ ઔદ્યોગિક નીતિ છે, અને તેની જ મેં વકીલાત કરી છે.
જે આ સિદ્ધાંતો સ્વીકારવામાં આવે, તે આપણી સમાજસેવાની કલ્પનાને પણ સ્થિર ભૂમિકા મળે. સમાજસેવાનો અર્થ જે એ જ કરીએ કે, તે તો ફુરસદના સમયમાં કરવાનું કામ છે, કે આપણા ફાજલ પૈસા ખરચવાનો માર્ગ છે, તે આપણે તેનું સ્વરૂપ અધૂરું જ સમજીએ છીએ. તેમાં તે બધાને સમાવેશ પણ જરૂર થાય છે, આપણે ફુરસદના સમય ઉપર કે ફાજલ પિસા ઉપર સમાજને કાયદેસર હક છે જ. પરંતુ સમાજસેવાનું મૂળ, આપણે વામથી પરવારીને જે કાંઈ કરીએ તે નથી, પરંતુ આપણે મ ત ો, ત્યારે જે કાંઈ કરીએ છીએ તે છે; તેમ જ કમાણી કરી લીધા વાદ જે ફાજલ પૈસા રહે તેમને જે ઉપયોગ કરીને તેમાં નથી, પરંતુ આપણી તમામ મિલકત આપણે જે કામકાજથી માથા હિઈએ તે કામકાજ જે હેતુથી કે ભાવનાથી આપણે કર્યું હેય, તેમાં રહેલું છે. એ કામ સારું કહી શકાય તેવું છે? તે સંજોગો દરમ્યાન શક્ય હોય તેટલું તેને મૂલ્યવાન બનાવવામાં આવ્યું છે? આપણે આપણા નાગરિક બંધુઓને તેમના પૈસાના બદલામાં સારી વસ્તુ કે કીમતી કારીગરી આપીએ છીએ? કે આપણે તેમની નિર્બળતા, તેમનું અજ્ઞાન કે તેમના ગમારપણાને ગેરલાભ ઉઠાવીએ છીએ? જે વસ્તુ આપણે બનાવીએ છીએ અને વેચીએ છીએ, તેમાં આપણે કહીએ છીએ કે દેખાવ કરીએ છીએ તેટલી સેવા રહેલી હોય છે, કે પછી પૈસા પડાવી લેવા માટે આપણે તેમાં ઉપર-ઉપરની જ ટાપટીપ કરી હોય છે? સમાજસેવા તેમ જ ઔદ્યોગિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org