________________
સામાજિક ખેંચતાણું - ૨૫૧ બહુ જ મોટી છે, તેમ જ આપણે બધા જ કયાંક ને ક્યાંક જતા જ હોઈએ છીએ.
પરિણામે સામાજિક ખેંચતાણ ઊભી થાય છે, અને જેમ જેમ સમાજ સંસ્કૃતિની ઉચ્ચ ભૂમિકાઓએ પ્રગતિ કરતો જાય છે, તેમ તેમ તે વધતી જાય છે. એક બાજુ આપણે ભારે સંગઠિત સામાજિક તંત્ર ઊભું કરીએ છીએ, કે જેમાં વ્યક્તિને સામાજિક શિસ્ત અને નિયંત્રણને તાબે થવું જ પડે, અને બીજી બાજુ સમાજ પોતાની સંસ્કૃતિ તથા કેળવણીની પદ્ધતિઓ વડે પોતાના સને “અતિ વિકસિત બનાવી મૂકવાને બનતું કર્યા કરે છે, કે જે વ્યક્તિએ અતિ વિકસિત હોવાને કારણે જ પિતાનું ધાર્યું કરવાના વલણવાળી વધુ હોય છે. તેથી જે સામાજિક શિસ્ત તેમને સામાન્ય વ્યવસ્થામાં તાબેદાર એકમ તરીકે જ સ્થાન સ્વીકારવાની ફરજ પાડતું હોય છે, તેના તરફ તેઓ ખાસ વિરોધવૃત્તિવાળા બને છે. એ પ્રમાણે એક બાજુ અતિ વિકસિત વ્યક્તિના સ્વતંત્ર થવાના પ્રયત્નો, અને બીજી બાજુ તેને સમાજની સામુદાયિક આજ્ઞાને તાબેદાર એકમ બનાવવાના પ્રયત્નો, એ બે વચ્ચે ઊભી થતી ખેંચતાણને જ આપણે “માનવજાતિની સમાજવિધી સામાજિકતા’ કહી શકીએ.
પહેલી નજરે તે એમ લાગે કે, આપણે આ જગાએ કેઈ અંધારી તથા ભયંકર જાળમાં ફસાયા છીએ. પરંતુ કેન્ટ તેથી પણ ઊંડી નજર ફેકે છે. કૈટ કહે છે કે, આ બધી અથડામણ અને ખેંચતાણે એ તે “માણસની ઉત્તમોત્તમ શક્તિઓ બહાર લાવવા માટે કુદરતે જેલાં સાધને” છે. એ ખેંચતાણમાંથી જ આપણું સ્વાભાવિક આળસ દૂર કરવા આપણને પ્રેરનારી શક્તિ જન્મે છે. તે આપણી શેધક શક્તિઓને ઉત્તેજિત કરે છે, તથા આપણને આગળના ઉચ્ચ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
WWW