________________
૨૫૦ - સર્વોદયની જીવનકળા જાતિબંધુ વિના ચાલતું પણ નથી, તેમ જ તે તેને દેખે પણ ગમતું નથી. “માણસ પાસેથી તેના સાથીદારને દૂર કરે, તે તરત તેને આખી દુનિયા નિર્જન વગડા જેવી અસહ્ય લાગશે. પરંતુ તેને તેને સાથીદાર આપે, એટલે મેડા યા વહેલા, કદાચ નર્યા અકસ્માતથી જ, તેઓ એકબીજાના માર્ગમાં અટવાવા લાગશે, તેમનાં પ્રજને એકબીજા સાથે અથડામણમાં આવશે, અને તેઓ વચ્ચે કેઈ ને કોઈ પ્રકારને ખૂનખાર ઝઘડે ઊભે થશે.”
પરંતુ કંન્ટ આવું વિધાન કરીને જ ભતે નથી. તે એ કોયડાનો અર્થ એવી રીતે વિકસાવતો જાય છે કે, આપણા સમાજજીવનનું રહસ્ય સમજવામાં પણ તે આપણને અતિશય ઉપયોગી થઈ પડે. તે આ વસ્તુસ્થિતિને પોતાની વિચિત્ર શિલીથી “માનવજાતિની સમાજવિરોધી સમાજિકતા' કહે છે; અને તેના ઉપર બહુ ભાર મૂકે છે. સામાજિક પ્રાણીઓ તરીકે માણસો ભેગા મળી સમાજ રચવા માટે સ્વાભાવિક રીતે ઉત્સુક હોય છે. પરંતુ સમાજ રચાય કે તરત જ તેમાંની વ્યક્તિઓ, પોતે નાખેલાં બંધનો સામે તાણવાનું જોર શરૂ કરે છે. આપણું સામાજિક જીવનની દરેક ભૂમિકાએ આપણે આ પ્રતિદ્વદ્વિતા જોઈ શકીએ છીએ. એક બાજુ સમાજ પરસ્પર સહાય માટે સગવડો ઊભી કરે છે, પરંતુ તેમ કરવા જતાં જ તે એકબીજા સાથે અથડાવાના પ્રસંગ પણ ઊભા કરેતે જાય છે. એમાં ઈર્ષ્યા કે અદેખાઈનું પણ કારણ નથી. જે માણસ સમાજના નિકટ સંબંધમાં રહે છે, તે જરૂર કોઈ ને કઈ રીતે તેના પડોશીના માર્ગમાં આવવાનો. બહુ જ ગીચ અવરજવરના મથક આગળ આવેલી મોટર ગાડી તે જ ઘડીએ ત્યાં આવી પહોચેલી બીજી મોટરગાડીઓના માર્ગમાં વિદ્મરૂપ થવાની જ; કારણ કે આપણું સંખ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org