________________
સામાજિક ખેંચાતાણુ
૨૪૯
પેાતાના જાતિભાઈઓને ચાહનારો છે. તેને ઝઘડા કરવા ગમતા નથી; તેને સુમેળ જ ગમે છે. અર્થાત્ તે એક મિત્રાચારીભયું અને શાંતિપ્રિય પ્રાણી છે. અને તે તેવા જ રહ્યો હાત; પરંતુ કૃત્રિમ રીતે ઊભા કરવામાં આવેલા રાજ્યતંત્રે તેને કાયદાએ કરી કરીને બગાડી નાખ્યા. આપમેળે તે તે પેાતાના માનવખ એને ચાહતા જ રહ્યા હોત, તથા તેમની સાથે શાંતિથી રહેતા હાત. પરંતુ રાજસત્તાની ભૂલભરેલી ડખલગીરીથી તે પેાતાના જાતભાઈઓને ધિક્કારતાં શીખે છે, તથા તેમની સાથે દુશ્મનાવટ રાખે છે. રૂસાના આ મતને હાલમાં પણ પ્રૌ. એલિયટ સ્મિથ અને મિ. ડબલ્યુ. જે. પેરીની થાયાના ટકા મળ્યા છે, તે લેખકેાએ પ્રાચીન સમાજે મામત એકઠા કરેલા પુરાવા ઉપરથી ભારપૂર્વક સિદ્ધ કર્યું છે કે, માણસ કુદરતી રીતે ‘લડાયક પ્રાણી નથી; પછીની વિપરીત સંસ્કૃતિની અસર હેઠળ જ તે તેવા બન્યા છે. વૈયક્તિક રીતે માણસનું વલણ સુલેહસંપ તરફ જ હોય છે; પરંતુ રાજ્યતંત્ર જ લડાઈએ ઊભી કરનાર સંસ્થા છે.
••
આ જાતના આ બે વિરે ધી મતાને વિરોધ દૂર કરવાને કઈ માગ છે ખરા ? એકને મતે માણુસ સ્વભાવથી પેાતાના પડેાશીને ચાહનાર તથા તેની સાથે શાતિમાં રહેવા ઇચ્છનાર પ્રાણી છે; અને બીજાને મતે તે સ્વભાવથી પેાતાના પડોશીને ધિક્કારનાર તથા તેની સાથે ઝઘડે કર્યાં કરનાર પ્રાણી છે.
રૂસાના મૃત્યુ પછી થોડાં વર્ષોં બાદ ઇમેન્યુઅલ કન્ટે એ બે મતાના વિરોધ દૂર કરવાને પ્રયત્ન કર્યાં હતા. ઈ. સ. ૧૭૮૪ના એક ચેાપાનિયામાં અલબત્ત તે બહુ જાણીતું નથી — કૅન્ટે એવા સિદ્ધાંત રજૂ કર્યાં કે, સ્વભાવથી માણસ પેાતાના પડેાશીને ચાહે પણ છે, તેમ જ ધિક્કારે પણ છે. કેન્દ્રના મત મુજબ માણસ એવું પ્રાણી છે કે જેને પેાતાના
-
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org