________________
૨૪૫
સામાજિક ચાતા તે જગતમાં ક્યારનુંય પ્રવર્તાવવામાં આવ્યું છે, પરંતુ અત્યાર સુધી તેણે મેળવેલી છતેને તેનાં વિરોધી બળોને સતત સામનો કર્યા વિના ટકાવી રાખી શકાય તેમ નથી, કે આગળ ધપાવી શકાય તેમ નથી.
એક લાગણી કે આવેગ તરીકે પ્રેમ બહુ ક્ષણિક વસ્તુ છે; અને તેનું બંધન પણ બહુ જ અદઢ હોય છે. તેના આવેગમય આવિષ્કારોને કાળ ખેતરી ખાય છે. એ જાતના પ્રેમસંબંધ અકસ્માત વડે થતા આઘાતથી વિશેષ વ્યસ્ત થઈ જાય છે. પ્રેમની પાસે પોતાની જાતની બહાર બીજું કાંઈ એવું હોવું જોઈએ કે જેને તે આશરે લઈ શકે, તથા જેમાંથી તે પિતાનું બળ મેળવી શકે. નહીં તે તે હંમેશાં ભાગી પડવાની અણી ઉપર રહે છે. પ્રેમ ક્ષણ વાર વૈષને ભલે હાંકી કાઢે; પરંતુ ઘણી વાર એવું બને છે કે, થોડા વખત બાદ તે હાંકી. કાલે ષ વધુ તીવ્ર બની જાય છે, અથવા તે ન જ ઊભે થાય છે. દુઃખી નીવડેલાં કેટલાંય લગ્નોનો ઈતિહાસ એ વસ્તુની સાક્ષી પૂરશે. જે પ્રજાઓ વચ્ચે એક વખત મિત્રાચારીને સંબંધ બંધાયે હોય છે, અથવા જે માણસ એક વાર મિત્ર બન્યા હેય છે, તેમની વચ્ચેનાં વેર જ સૌથી વધુ તીવ્ર હોય છે. માણસે વચ્ચે ઊભા થતા ખરાબમાં ખરાબ વેરનું મૂળ તૂટી ગયેલી મિત્રતામાં કે અનિવાર્ય સંજોગે સાથેની અથડામણને લીધે ભાગી પડેલા પ્રેમમાં જ હોય છે. એ બીનાએ કેટલાંય કરુણાંત નાટકોને વસ્તુ પૂરું પાડયું છે; અને જ્યારે તે નાટકના છેલ્લા અંકને અંધારામાં ઘેરતા વેરાગ્નિની શરૂઆત તેમના પ્રથમ અંકને અજવાળતા પ્રેમરૂપે જ થઈ હોય છે, ત્યારે તે તે વસ્તુ ભારે હૃદયવેધક થઈ પડે છે.
દરેક દાખલામાં પ્રેમસંબંધ કાયમ રહે તે માટે બંને પક્ષની દૃષ્ટિ સમક્ષ કાયમ રહેવું કઈ સહિયારું પ્રયોજન જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org