________________
२४०
સર્વોદયની જીવનકળા નથી; પરંતુ તેની સુગરીથી કમી થતી વેંઘાતાનું માને છે. જે પ્રાણીઓ સ-વિચાર દશાએ પહોંચ્યાં છે, તે બધાંમાં સુખની લાગણી સાથે દુઃખનો અંશ મળેલ હોય જ છે – ભલે પછી તે એ સુખ ચાલ્યા જવાના ભય પુરતો હોય; તેમ જ દુઃખની લાગણી સાથે અચૂક સુખનો અંશ પણ હોય છે – ભલે પછી તે એ દુઃખમાંથી છુટકારાની આશા પૂરતો હોય. વિકટર હયુગેએ* કહ્યું છે કે, “પૂરેપૂરા સુખી થવું એ તે ભયંકર વસ્તુ છે.” ભયંકર એટલા માટે કે, તમને તેની સાથે ભાન હોવાનું જ કે તે સ્થિતિ વયમ રહેવાની નથીઃ કાળરૂપી ઉંદર તેને કેતરી રહ્યો જ છે. અને પાસ્કલે કહ્યું છે કે, પૂરેપૂરા દુઃખી થવાની ક્ષણ જ છુટકારાની આશાના ઉદયની ક્ષણ હોય છે. આપણું આત્મભાન હમેશાં સુખપૂર્ણ તેમ જ દુઃખપૂર્ણ હોય છે. તેને માત્ર સુખકર વેદનાઓના સ્વર્ગ દ્વારા નર્યું સુખપૂર્ણ કરવાના, કે દુઃખની સતત વેદનાઓના નરક દ્વારા નર્યું દુખપૂર્ણ કરવાના પ્રયત્ન નિષ્ફળ જ જશે. બંનેમાંથી માત્ર એકવાળું જીવન કલ્પી શકાતું જ નથી. જેમ પાણીની ઉત્પત્તિ માટે ઐકિસજન અને હાઈ ડ્રોજનની મેળવણી જરૂરી છે, તેમ જીવનના ઘડતર માટે સુખ અને દુઃખની મેળવણી આવશ્યક છે.
એટલે, જોકે કેનન સ્ટ્રીટરની પેઠે હું એમ કહેવા તૈયાર નહીં જ થાઉં કે, દુઃખ એ જીવનની “મૂળભૂત વસ્તુ છે; તેમ જ તે સિદ્ધાંત ઉપરથી તે જે અનુમાન તારવી કાઢે છે, તે પણ હું નહી સ્વીકારું તો પણ મને લાગે છે કે, દુઃખ એ આપણું જીવનની અંગભૂત વસ્તુ છે, એ બીના ઉપર ભાર મૂકવા પૂરતા તે સાચા છે. જીવનને તમે જ્યાં જ્યાં તપાસશે
– અરે તેની નીચેમાં નીચી કક્ષાએ પણ – ત્યાં તમને દેખાશે કે, તેને જન્મ હંમેશાં વેદનાથી થયો હોય છે, તથા તેનું ધારણ પણ અમુક અંશે વેદના વડે જ થતું હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org