SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ સામાજિક ખેંચતાણ ૨૪૧ અને તે વસ્તુ જે આપણે ભૌતિક જીવનની બાબતમાં સાચી હેય, તે આપણાં કલ્પના, બુદ્ધિ, તથા ભાવના અને નીતિના જીવનની બાબતમાં તે તે વધારે સાચી હોવી જોઈએ. ડો. હેલીકસ એડ્રેલર” કહે છે કે, મનુષ્યજાતિના બધા મહાન આદર્શી વેદનામાંથી જમ્યા છે. દુઃખ, નિષ્ફળતા, નિરાધારતા, મૃત્યુ વગેરેના અસંખ્ય પ્રકારોમાંથી એક યા બીજા પ્રકારે મનુષ્યના વીર આત્માની તાવણ થતાં તેના જવાબ રૂપે જ એ બધા આદર્શો પ્રગટેલા હોય છે. ન્યાય, સ્વાતંત્ર્ય, સર્વોદય, માનવજાતને કુટુંબભાવ, વગેરે તમામ આદર્શોના મૂળમાં ભયંકર ખેંચાતા રહેલી હોય છે. તે આદર્શે વેદનામાંથી જનમ્યા હોય છે અને વેદના વડે જ ટકી રહેતા હોય છે. સમાજસેવાનો આદર્શ પિતે જ તેવી જાતને છે. તેનું મૂળ સામાજિક જગતમાં અનુભવાતા વિરોધમાં છે; અર્થાત્ તે વિરોધનું દશ્ય ઉત્તમ સ્ત્રી-પુરુષોના હૃદયમાં જે વેદના ઉત્પન્ન કરે છે, તેમાં રહેલું છે. સમાજસેવાની ભાવના ભારે ખેંચાતાણથી ભરેલી ભાવના છે. તે ભાવના, અનુભવમાં આવેલા વિરોધને વીરતાભર્યો સામનો કરતી સામાજિક સંકલ્પશક્તિના પ્રતીકરૂપ છે. સમાજસેવાની શક્તિ તથા તેમાં રહેલી હિંમત તથા સર્જકતા, તેને જે વિદ્યોને સામનો કરવો પડે છે, તેમાંથી જન્મે છે તેની પાછળ રહેલી ભલી લાગણીમાંથી નહીં. મેં વાંચેલાં સુખાવતી નગરીનાં સર્વ શબ્દચિત્રોમાં – ખાસ કરીને વર્તમાનકાળમાં રજૂ કરવામાં આવતાં ચિત્રોમાં – આ અગત્યની બીના તરફ દુર્લક્ષ કરવામાં આવેલું જોયું છે; અને એ જ તેમનો પ્રધાન દેષ મને લાગે છે. આ શબ્દચિત્રોના લેખકના ધ્યાનમાં એ વસ્તુ આવી લાગતી નથી કે, સમાજ જેમ જેમ ઉચ્ચ ભૂમિકાઓએ ચડતો જાય છે, તેમ તેમ સામુદાયિક જીવનને તે ઉચ્ચ ભૂમિકાઓ ઉપર ટકાવી સ-૧૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005191
Book TitleSarvodayni Jivankala
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1955
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy