SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ સામાજિક ખેંચતાણ ૨૩૯ લોકોએ કરેલાં નડતરે આપણું હેતુ સાથે અથડામણમાં આવતા બીજા હેતુઓને દબાવ; આપણી શારીરિક નિર્બળતાઓ વગેરે. એમ આપણે હેતુ સિદ્ધ કરવાનો માર્ગ કદી “સુગમ, હેતો નથી. આપણે સતત વિરોધી હેતુઓને સામને કરી, આપણું બળ દાખવતા રહેવું પડે છે; તથા વિરોધી બળે જે ખેંચાણ ઊભું કરતાં હોય છે, તેને સહન કરવું પડે છે. એ વસ્તુનું ભાન આપણને જાગ્રત, સક્રિય તથા ચપળ રાખે છે. એક જ ક્ષણે આ રીતે બે વિરોધી દિશાઓમાં ખેંચાવાનું આ ભાન ઘણા લોકોને જીવનના એક સિદ્ધાંતરૂપ નથી લાગતું, પરંતુ એક અનિષ્ટરૂપ લાગે છે; તથા ડાહ્યા પુરુષે તેમાંથી જલદી છુટકારો મેળવવા જોઈએ એવું તેઓ માને છે. એ જાતની દૃષ્ટિને કારણે દુનિયામાં ઘણા નિરાશાવાદી જીવન-સિદ્ધાતો નીપજ્યા છે. એ જાતની ખેંચતાણમાં વેદનાનો અંશ અચૂક હોય છે, એ વાત સાચી છે; તથા સુખકર વેદનાઓ અનુભવવી એ વસ્તુને જ જેઓ જીવનનું ધ્યેય માને છે, તેઓને એ જાતની ખેંચતાણનું કાયમીપણું નિરાશાવાદ તરફ ઘસડી પણ જાય. પરંતુ મેં આગળ જણાવ્યું છે તેમ, માણસની કુદરતી રચના ઉપરથી તો એમ જ સૂચિત થાય છે કે, આપણે જેટલા સુખ ભેગવવાને અર્થે સરજાયા છીએ, તેટલા જ દુઃખ સહન કરી શકવાને માટે પણ સરજાયા છીએ. હું તે તેથી પણ આગળ જાઉં છું. ઐકસફર્ડના ડો. સ્ટ્રીટરે પિતાની “વાસ્તવતા' (“રિયલિટી) નામની સુંદર ચેપડીમાં એવી માન્યતા રજૂ કરી છે કે, જીવનની મૂળભૂત વસ્તુ સુખ નથી પણ દુઃખ છે. અને ડૉ. સ્ટ્રીટર કંઈ નિરાશાવાદી નથી. હું પોતે તો તે વસ્તુને જુદી રીતે મૂકું. ડૉ. સ્ટ્રીટરના શબ્દ કાયમ રાખીને કહું તે “જીવનની મૂળભૂત વસ્તુ સુખ પણ નથી, તેમ જ દુઃખ પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005191
Book TitleSarvodayni Jivankala
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1955
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy