________________
૨૩૧
સહકાર ન પરણવા કરતાં પરણીને છુટાછેડા લેવા એ વધારે સારું તે નથી જ, પણ કેટલાયગણું વધારે ખરાબ છે. તે જ પ્રમાણે, ઘણા લોકો કબૂલ કરશે કે, પોતાની જાતને ટકાવી ને રાખી શકે તે તથા જલદી જ છિન્નભિન્ન થઈ જાય તેવો રાષ્ટ્રસંઘ કે ધાર્મિક સંઘ સ્થાપવા કરતાં, તેને ન સ્થાપવે એ જ વધારે સારું છે. એવા નિષ્ફળ નીવડેલા દાખલાઓ તે સહકારની આખી ભાવનાને ભારે ધકકો પહોંચાડે છે.
“એકતાથી એકઠાં રહેતાં માનવ ભાંડુઓ”ની કલ્પનાનું ચિત્ર ઘણી વાર એવી રીતે દેરવામાં આવે છે કે જેથી ઉપર જણાવેલાં મૂળભૂત સત્યે વધુ દેખાઈ આવવાને બદલે ઊલટાં ઢંકાઈ જાય. વિલિયમ મોરિસનું “ન્યૂઝ ફ્રોમ ને-વૈર” એ પુસ્તક એ બાબતના ઉદાહરણરૂપ છે. તે પુસ્તકમાં “માનવાની એકતાનો એક સુખી ક્ષણે ફેટોગ્રાફ પાડી લીધે છે; પરંતુ તે એકતાનું પ્રેરક કે ધારક બળ તેમાં ક્યાંય શોધ્યું જડતું નથી. એવાં ચિત્રો ઘણી વાર ઉત્તેજક નીવડે છે, તેની ના નથી; પરંતુ જ્યાં સુધી તે બધાં “ભાંડુઓ” સક્રિય રીતે તથા વફાદારીથી એવા એક સામાન્ય કાર્યમાં સહકાર ન કરતાં હોય, કે જે કામ તેમના એકત્રિત પ્રયત્નને એગ્ય છે એવું સ્વીકારવામાં આવ્યું હોય, તથા માનવ પ્રાણીઓ તરીકે તેમને છાજે તેવું હોય, ત્યાં સુધી એ પ્રમાણે “એકતાથી એકઠા રહેવું” શક્ય જ નથી. આપણે યાદ રાખવું જોઈએ કે, માનવ એકતાને જે કંઈ અર્થ થતે હેય, તે તે માનવ સંવની એકતા હેવી જોઈએ; અથવા ચોકકસ શબ્દ વાપરીએ તે સતત સંવકર્યા કરવાની એકતા હોવી જોઈએ. તે એકતા અમુક ચોક્કસ દિશામાં ગતિ આપનાર બળરૂપ હેવી જોઈએ. માણસો જેમાં એકબીજાને પડખે એકબીજાને વળગીને બેસી રહે તથા જેની પાછળ એકબીજા માટે સામાન્ય મમતાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org