SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ આધ્યાત્મિક અને ભૌતિક ૨૨૫ કાળ-ભાવનાથી વિચાર કરનાર માણસ જે ત્યાં બારીકાઈથી નજર કરે, તે આધુનિક મનુષ્યની કામનાઓ, તેની ઈચ્છાઓ, તેની આકાંક્ષાઓ, તેની અક્કલ, તેનું ડહાપણ, તેની મૂર્ખાઈ, તેના સદ્ગુણ, અને તેના દુર્ગણે સહિત તેની આની આકૃતિ તે ત્યાં પ્રત્યક્ષ દેખી શકે. પરંતુ એ મુદો ત્યાં જ પૂરે નથી થતું. આ બાબતમાં પણ આપણને પેલો અન્યાશ્રયને ગૂઢ નિયમ સામે મળે છે. મનુષ્યને લગતી બધી બાબતે તે નિયમ અનુસાર ગોળ ચકરાવામાં ફર્યા કરે છે. કારણ કે, જે આપણે આપણું છાપ એ વસ્તુઓ ઉપર પાડીએ છીએ, તે તેઓ પણ તે જ પ્રમાણે આપણું ઉપર તેમની છાપ પાડે છે. એ બધાં વાસણસણને જોનારી આંખો ઉપર, તેમને વાપરનાર હાથ ઉપર અને તેમાંથી પાણી પીનાર મેઢાં ઉપર તેમની સામી અસર પડે છે. આપણે જે શહેર બાંધીએ છીએ, તેમની સામી અસર તે શહેર બાંધનારા અને આજે કે ભવિષ્યમાં તે શહેરમાં રહેનારા ઉપર પણ પડે જ છે. જે આપણે તેમને કદરૂપા દેખાવ, ગંદા અવાજે, અને દુર્ગધેથી ભરી મૂકીએ, તો તેઓ આપણા ચારિત્ર ઉપર પણ તે જાતની જ છાપ પાડીને પિતાનું વેર લે છે જ. તેથી ઊલટું, આપણે તેમને સારાં બનાવીએ અને રાખીએ, તે આપણા ઉપર પણ તેઓ તેવી સારી છાપ પાડીને તેને બદલે આપે છે. સ.-૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005191
Book TitleSarvodayni Jivankala
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1955
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy