________________
૧૭
સહકાર અનાજ વાવવા માટે આપણે જે જમીન ખેડીએ છીએ, તેનાં કસ તથા ફળદ્રુપતા કાયમ રાખવા સારુ આપણે સતત મહેનત કર્યા કરી તેને પદ્ધતિસર ખેડ્યા કરવી પડે છે. તે જ પ્રમાણે માનવપ્રાણુઓ વચ્ચે લગ્ન, ભાગીદારી, સમવાયે, સંઘ, સંધિઓ, કે કરારે વગેરે રૂપે બાંધવામાં આવતા સંબંધે કે કરવામાં આવતાં જોડાણેમાંથી જે ફળની આપણે આશા રાખીએ છીએ, તે આપણે મેળવતા રહેવું હોય, તે તેમને વારંવાર ખંતથી તથા પદ્ધતિસર ખેડ્યા કરવા જોઈએ. લગ્ન શું કે રાષ્ટ્રસંઘ શું, કોઈ પણ સબંધ જોડનારની તે માટેની સંકલ્પશક્તિ, તે સંબંધ ચાલુ રાખવા માટે, સતત સંકલ્પ કર્યા કરતી રહેવી જોઈએ; નહીં તે થોડા વખતમાં જ તે સંબંધ નાશ પામી જાય; અને જે જમીન ઉપર તે એક વાર કૂલ્યોફાલ્યું હતું, ત્યાં ઝાડવાં-ઝાંખરાં જ છવાઈ રહે. તે સ બ ધને જોડી રાખનાર શક્તિ સંકલ્પાત્મક હોય છે. માણસ માણસ વચ્ચેના પ્રેમને અર્થ જે એકબીજા પ્રત્યેના લાગણીવેડા જ થતો હોત, તે આપણે તેને જીવનની મેળશક્તિ તરીકે ઉપયોગમાં જ ન લઈ શકત.
જુદા જુદા સંબંધોની પાછળ પ્રતિજ્ઞાઓ, કરાર, દસકતે વગેરે, તેમ જ એકબીજાના જન્મદિવસના ઉત્સ વગેરે બાહ્ય વિધિવિધાનો સિવાય બીજા કશાનું પ્રેરક બળ ન હોય, તે તેઓ તરત ક્ષીણ થવા લાગે છે, અને નાશ પામે છે. ચીલી અને આજેન્ટાઈન દેશની પ્રજાઓ વચ્ચે કાયમી સુલેહના
૨૨૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org