SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪ સર્વોદયની જીવનકળા તે પ્રાચીન લોકોના સ્વભાવ વિષે આપણને કેટલી બધી ચેકકસ માહિતી આપી છે? સર આર્થરને મને અને લોકોનું વાસણ આપે, ને તરત જ તે તમને મિનો અને લોકોના અધ્યાત્મ વિષે પણ કંઈક માહિતી મળશે. તે જ પ્રમાણે હું કહું છું કે, તમે તમારા ગ્લાસગો શહેરની દુકાનની બારીઓમાં પ્રદૃર્શત કરેલી વસ્તુઓ જુએ, અને તરત તમારા નગરમાં રહેતા લોકેના આધ્યાત્મિક વિકાસ વિષે પણ તમને માહિતી મળશે. દાખલા તરીકે, મીઠાઈઓની સંખ્યાબંધ દુકાને તરફ તમે નજર કરે એટલે તરત તમને દેખાઈ આવશે કે, સુખ – અને ખાસ કરીને ગળ્યાં સુખ – માટેની ભક્તિ તમારા લોકોમાં પ્રાધાન્ય ભેગવે છે. અથવા જ્યાં સખત માદક પીણાં વેચાય છે, તે દુકાને તરફ નજર કરે. અને જે બાલ્ઝાક* કહે છે તે ખરું હાય કે, દારૂ પીવે એ “અનંતની ઉપાસનાનું લેકગમ્ય • સ્વરૂપ છે, તે અનંતની એ ઉપાસનાનો તમારા શહેરમાં અભાવ નથી, એ તમને સમજાઈ જશે. અમેરિકામાં તે ઉપાસનાની કાયદાથી બંધી કરી દેવામાં આવી છે, એ વસ્તુ અમેરિકાનો આત્મા સમજવા ઈચ્છનાર માટે અગત્યના સૂચનરૂપ છે; અને ભવિષ્યને કોઈ પુરાતત્ત્વવિદ તેની જરૂર નેધ લેશે. માત્ર વાસણમૂસણથી જ નહીં, પણ ખાધાખોરાકીની તથા પીણાંની ચીજોથી પણ માણસનું આંતરિક સ્વરૂપ તથા તેની આધ્યાત્મિક મુખાકૃતિ વ્યક્ત થાય છે. મુખાકૃતિ ચીતરવામાં જગતનો સૌથી મોટે ચિત્રકાર ગણાતા વેલાસ્કવેઝની* બાબતમાં એવું કહેવાય છે કે, માણસે સ્થળ ભાવનાની દષ્ટિએ બહાર જેવા દેખાતા તેવી તેમની મુખાકૃતિઓ તે નહોતે ચીતરતો; પરંતુ કાળ ભાવનાની દષ્ટિએ જોતાં તેઓ જેવું જીવન જીવતા હતા, તેવી તેમની મુખાકૃતિએ તે ચીતરતો. આપણે દુકાનની બારીઓમાં ગોઠવેલા પદાર્થોથી પણ તે જ વસ્તુ સિદ્ધ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005191
Book TitleSarvodayni Jivankala
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1955
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy