SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ આધ્યાત્મિક અને ભૌતિક ૨૨૩ તેમને તે ભારવાહી ગર્દભે બનાવી દે છે તથા તેમની ફજેતી કરીને તેમના ઉપર સવાર થાય છે. પરંતુ તેમાંથી બચવાને ઉપાય ભૌતિક તત્ત્વને ઉતારી પાડવું એ નથી. કારણ કે તેનાથી તે તે ઊલટું વધારે નાલેશીભર્યું વેર લેશે. “માણસ સમગ્ર વિશ્વને નાગરિક હેઈ ભૌતિક તત્ત્વને ટ્રસ્ટી છે અને તેથી કરીને આધ્યાત્મિક પ્રાણી છે” – એ ગ ભર સત્યને સાક્ષાત્કાર એ જ એનો ઉપાય છે. એક પ્રાચીન ફિલસૂફે કહ્યું છે કે, માણસ પિતાની આકૃતિ ઉપરથી જ પિતાના ઈશ્વરની આકૃતિ કપે છે. તે સાચું છે કે નહીં તેની ચર્ચામાં હું નહીં પડું. પરંતુ એટલું નકકી છે કે, તે પિતાનાં વાસણસણ, પોતાનાં ઘર, પિતાનાં કારખાનાં, પિતાનાં નગરે, અને સામાન્ય રીતે તેની આખી દશ્ય સંસ્કૃતિ છે તે પ્રમાણે જ ઘડે છે. મારા કહેવાનો અર્થ એ નથી કે, તે તેનાં વાસણકૂસણનો આકાર માણસ જે બનાવે છે કે તેમના ઉપર પોતાના જેવા આકારો ચીતરે છે, – જોકે ઘણી વાર તો તે તેમ પણ કરે છે; પરંતુ મારા કહેવાનો અર્થ એ છે કે, તે બધી વસ્તુઓમાં તેના આત્માનું પ્રતિબિંબ પડતું હોય છે તેના ગુણે, તેનું ચારિત્ર્ય, કે માણસ તરીકેની તેની લાયકાતની છાપ તેમની ઉપર પડે જ છે. ટ્રસ્ટીપણાની બાબતમાં, આવડતની બાબતમાં, કે કુશળતાની બાબતમાં તેણે જે સિદ્ધિ મેળવી હોય છે, તેની તેમના ઉપર બરાબર છાપ પડી હોય છે. તેણે ભૌતિક તત્ત્વના ટ્રસ્ટી તરીકે પિતાને ભાગ પ્રામાણિકતાથી ભજવ્યું છે? તે રહસ્યપૂર્ણ તત્ત્વ પ્રત્યેની તેની ફરજ અદા કરવામાં તેણે પોતાની આધ્યાત્મિક્તા દાખવી છે? તે પ્રશ્નોનો જવાબ તેનાં વાસણFસણ જ આપશે. કેટ* લોકેાનાં વાસણકૂસણના બારીક નિરીક્ષણ ઉપરથી જ મહાન પુરાતત્ત્વવિદ સર આર્થર ઈવાન્સ* Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005191
Book TitleSarvodayni Jivankala
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1955
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy