________________
સર્વોદયની જીવનકળા
२२२
છે. તેમને વિષે જે કાંઈ સારામાં સારું વિચારાયું હોય કે કહેવાયું હાય, તેની માહિતી કરતાં કંઈક વિશેષ આપણને આપણી સસ્કૃતિએ આપવું જોઇ એ. તેમને પ્રત્યક્ષ જગતમાં મૂર્તિમંત કરવાની કુશળતા તેણે આપણને આપવી જોઈ એ. જ્યાં સુધી ભૌતિક તત્ત્વનું આપણું ટ્રસ્ટીપણું સાચા, સારા, અને સુંદર પદાŕરૂપે બહાર મૂતિ મત ન થાય, જેથી તેમને આંખ જોઈ શકે, કાન સાંભળી શકે, હાથ પકડી શકે, અને મનુષ્ય પેતે તેમનાથી આનદિત થઇ તેમના ઉપયોગ કરી શકે; તથા આપણી સર્જક પ્રવૃત્તિથી આપણે દુનિયાની તેવી વસ્તુએના . વારસામાં એક વધુ ઉમેરો ન કરીએ, ત્યાં સુધી આપણે જપવું જોઈએ નહી. એ રીતે ચરતાથ થયેલી સંસ્કૃતિ જ સ ંસ્કૃતિ કહેવાય; તેમ જ એ રીતે કુશળતામાં પરિણત થતું ડહાપણ જ ડહાપણ કહેવાય.
હા, વસ્તુનો. ઉપરના વાકચમાં આવતા એ શબ્દ ઉપર હું ભાર મૂકવા માગું છું. વસ્તુઓ કે જેમને જોઈ શકાય, સાંભળી શકાય, સ્પર્શ કરી શકાય, પકડી શકાય, વાપરી શકાય, અને માણી શકાય. તે વસ્તુએ બજારમાં વેચવા માટેના માલરૂપ પણ ભલે હા. માત્ર, તે બજારમાં પણ ઉત્તમતાની ભાવના વ્યાપેલી હાવી જોઈ એ. તે બધી જ વસ્તુએ આપણને સામાજિક પ્રાણીએ મનાવનાર ઉદ્યોગરૂપી ધધાનાં ફળરૂપ હાય : તેમાંની કેટલીક એટલી નાની હોય કે તેમને દુકાનેાની મારીઓમાં પ્રદર્શિત કરી શકાય; કેટલીક એટલી મેાટી હોય કે તેમને પ્રદર્શિત કરવા માટે આખાં નગરા, વિશાળ પ્રદેશેા કે આખા ભૂ-ખડા જોઈ એ.
::
એમસ ને કહ્યુ છે કે, ‘વસ્તુઓ માણસજાત ઉપર સવાર થઈ બેઠી છે, ’ એ વાત સાચી છે. જેએ ભૌતિક તત્ત્વના સુપયોગ કરે છે, તેમના ઉપર તે એવું વેર જરૂર લે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org