SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ આધ્યાત્મિક અને ભૌતિક ૨૨૧ આર્નોલ્ડના* મત હતા. એ ત્રણની ખાખતમાં જે કાંઈ સારાં કથના કરવામાં આવ્યાં છે, તેમને એકત્રિત કરીએ, તે આપણી સમક્ષ, મૈથ્યુ આર્નોલ્ડના અર્થમાં, સંસ્કૃતિને સાર આવી જાય. પરંતુ સત્ય, સૌંદય અને શ્રેયને ગમે તેવી સારી ભાષામાં રજૂ કરવામાં આવ્યાં હાય, તેપણ તે સાંભળવાથી કે જાણુવાથી આપણે સાચેસાચ એ ત્રણ શાશ્વત મૂલ્યે પામીએ છીએ ? ઘણી વાર તો આપણે તે મૂલ્યે વિષેનાં કથન કરવાસાંભળવાથી એવા ભ્રમમાં પડીએ છીએ કે, આપણે ખરેખર તે મૂલ્યે પામ્યા છીએ. પરંતુ વસ્તુતાએ તે તેમના અંગુલિસ્પર્ધા જ આપણે કર્યાં હોય છે. સસ્કાર પ્રાપ્ત કરવાની આ કલ્પનાથી તે આપણી સૌંસ્કૃતિ પ્રવાહી બનતી ખનતી એક બહુ જ પાતળા તથા પાષક તત્ત્વા વિનાના માદક પીણા જેવી જ થઈ જાય. જ્યાં સુધી આપણું સત્ય, સૌંદય અને શ્રેય–એ ત્રણમાંથી ગમે તે એકને સર્જવાનો માર્ગ ન લઈ એ, ત્યાં સુધી તેમને માટે આપણામાં સાચેા પ્રેમ જ જાગતા નથી. કોઈ માણસ પ્રમાણિકપણે, અર્થાત્ ટ્રસ્ટીપણાના ભાવથી, કાંઈ કામ કરતા હોય, તથા જે વસ્તુ સહેજે કદરૂપી બનાવી શકાઈ હત તેને મહેનત કરી સુંદર બનાવતા હાય, કે તેને ઉપર ઉપરથી દેખાવ પૂરતી સારી બનાવીને પૈસા મારી ખાવાને બદલે તેને વસ્તુતાએ સારી નાવતા હાય, તેવા માણસને પેલાં શાશ્વત મૂલ્યા ખરાખર લાધ્યાં છે— માત્ર તેમને અંગુલિસ્પશ નથી થયે, એમ હું જરા પણ ખચકાયા વિના જરૂર કહું. તે માણસ કોઈ દેશને રાજ્યકારભાર ચલાવતા હોય, કે વહાણુ હકારતા હાય, ચાપડી લખતા હોય કે કવિતા બનાવતા હોય, કે ઈંટો ચણવાનું જ કામ કરતા હોય; પરંતુ દરેક દાખલામાં તે વસ્તુનું હાર્દ એ પામ્યા હોય છે શાશ્વત મૂલ્યે એ કઈ મનેાહર આભાસા જ નથી. તેઓ તે। માનવઉદ્યોગનાં સતેજ મૂળતત્ત્વા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005191
Book TitleSarvodayni Jivankala
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1955
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy