________________
૨૨૦
સર્વોદયની જીવનકળા જ વિખૂટી પડી જાય, એ તે ભારે દુર્ભાગ્યની વાત જ બની કહેવાય. આત્માના ખોરાકને આપણાં શરીરને પોષનાર રેજના ખોરાક સાથે જોડનાર સાંકળ તૂટી જાય, અથવા માણસે ભૂલી જાય કે શરીરને ભૌતિક દૃષ્ટિએ અનિવાર્ય એવી વસ્તુઓ પૂરી પાડવાની મજૂરી, તેમ જ આત્માને આધ્યાત્મિક દૃષ્ટિએ અનિવાર્ય એવી વસ્તુઓ પૂરી પાડવાની મજૂરી એ એક સળંગ ક્રિયા છે, અને ઉત્તમતાનો એક જ નિયમ તે બંનેને લાગુ પડે છે, – તે તે કેવી ભારે કમનસીબીની વાત છે? કારણ કે, એ સળંગ યિાને એક છેડે ઉત્તમતા ન દાખવે ત્યાં સુધી બીજે છેડે તેને દાખવવી એ અશક્ય વસ્તુ છે.
જ્યારે ભૌતિક અને આધ્યાત્મિક વચ્ચે એ રીતે છટાછેડા થઈ જાય છે – અને આજે તેવા છટાછેડા થયા જ છે – ત્યારે “સારું જીવન” જીવવાને ઉત્સાહ અચૂક ઓસરી જાય છે. આપણે તેને વિષે ચર્ચાઓ કરીએ છીએ; તથા લેખકે, નીતિશાસ્ત્રીઓ, અને ધર્મોપદેશકે તેમની ટેવ મુજબ તેને માટે મેટાં મોટાં વ્યાખ્યાનો આપે છે કે લેખ લખે છે. પરંતુ એ પ્રકારની જીભાજોડીથી આપણે જે સુંદર છાપ ઊભી કરીએ છીએ, તેની આડે, સારા જીવન વિષે વસ્તુતાએ આપણે કેટલા નિરપેક્ષ છીએ એ વસ્તુ આપણે જોઈ શકતા નથી. આ ભંગાણ મટાડવું અને આધ્યાત્મિક સંસ્કૃતિ વચ્ચેની સાંકળ ફરીથી જોડવી, એ રચનાત્મક નાગરિકધર્મના ઉપાસકોએ હાથમાં લેવાના કામનું બીજી રીતે કરેલું વર્ણન છે; જો કે તેમાં વસ્તુતાએ બીજાપણું કશું નથી.
- સત્ય, સૌદર્ય અને શ્રેય એ ત્રણ આત્યંતિક મૂલ્યોની બાબતમાં માણસોએ વિચારેલી અને કહેલી સર્વોત્તમ વસ્તુઓ જાણવી એટલે જ સંસ્કાર અથવા સંસકૃતિ – એ મૈથ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org