________________
૨૧૯
આધ્યાત્મિક અને ભૌતિક બનાવવા ઇરછતે, તથા, “ભૌતિક તત્ત્વ આપણા ઉદ્યમનો વળતો જવાબ આપશે, તથા આપણે તેને જેટલા વફાદાર રહીશું, તેટલું તે પણ આપણને વફાદાર રહેશે” એવી શ્રદ્ધાવાળે “ભૌતિકવાદ” તો જેટલું વધારે હોય તેટલો સારો; કારણ કે, તે તે માનવ જીવનને ગૌરવ આપનાર સર્વ બાબતનું ખાસ મૂળ છે. તે જ પ્રમાણે, વાસ્તવિક મૂલ્યોની ભૂખવાળું તથા તેવાં મૂલ્ય ઉત્પન્ન કરીને પિતાનાં બનાવવા ઈચ્છતું પરિગ્રહી પણું પણ આવકારદાયક જ છે. હું તો એમ જ કહ્યું કે, બધા જ માણસો તેવી સંપત્તિના ઢગલા કરે, અને મેળવાય તેટલી મેળવે. તેમ જ જે હરીફાઈ કણ વધુ મેળવી જાય છે એ મુદ્દાને બદલે, કોણ વધુ સારું કરે છે એ મુદ્દાની આસપાસ ચાલે, તે હરીફાઈ વડે તો આખી પૃથ્વી છવાઈ જાઓ, એમ જ હું કહું. જથાના જ ધ્યેયવાળી સ્થળભાવનાની દુનિયામાં માણસને કશું વ્યક્તિત્વ હોતું નથી; તેઓ એક સળંગ પ્રકિયાના માત્ર ઘટકો કે મણકા જ બની જાય છે તે દુનિયામાં વિભાગને કાયદો પ્રવર્તે છે; અને વિગ્રહનાં દુઃખે” તેને લલાટે લખાયેલાં છે. પરંતુ ગુણના ધ્યેયવાળી કાળભાવનાની દુનિયામાં મનુષ્ય પરસ્પર સહકાર કરે છે, એક બીજાને ચાહે છે, અને પિતાને માટે “કાયમનાં રહેઠાણ” બાંધે છે. સ્થળભાવનાની દુનિયામાં જે ભૌતિકવાદ, પરિગ્રહીપણું, અને હરીફાઈ અનિષ્ટરૂપ છે, તે કાળ ભાવનાની દુનિયામાં ગુણરૂપ બની જાય છે.
ફરી એક વાર કહું છું કે, માનવ સંસ્કૃતિનો જન્મ માણસના સામાન્ય કામકાજમાંથી થાય છે; ત્યાંથી આગળ વધતી વધતી તે સૂક્ષ્મ બાબતે તરફ પ્રગતિ કરે છે. જે એ વસ્તુ સાચી હોય, તે પછી સમાજની કળા, સાહિત્ય, અને ધર્મરૂપી આધ્યાત્મિક સંસ્કૃતિ રોજના કામકાજથી ખૂબ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org