________________
२२
અહીં આગળ કેટલાક દલીલ કરે છે કે, માણસ કાંઈ દેવ નથી. તે તે છે તે છે; જગતની પરિસ્થિતિમાં તે બીજી રીતે વર્તી ન શકે. અહીં આગળ જેકસ આ નસીબવાદી પરિસ્થિતિને ઘડો ફેડીને કહે છે કે, પરિસ્થિતિમાં માણસો પણ આવી જાય છે. “દરેક માણસની પરિસ્થિતિમાં સૌથી સક્રિય તથા અસરકારક તત્ત્વ તેને માનવવંધુમો છે. જે તેની આજુબાજુના માનવબંધુઓની જાત અર્થાત તેમના ગુણ ખરાબ હશે, તો તેની બાકીની પરિસ્થિતિ પણ ખરાબ જ રહેશે.... જે મારા પડોશીઓની મારા અસ્તિત્વ ઉપર અસર પડતી હોય, તે મારી અસર પણ તેમને ઉપર પડે છે. તેથી જ્યારે પરિસ્થિતિ સુધારવાને પ્રશ્ન આવે, ત્યારે મને પરિસ્થિતિને ઉત્પાદક ગણ કે પરિસ્થિતિના પરિણામરૂપ ગણ, એ પ્રશ્ન માત્ર દષ્ટિબિંદુનો જ સવાલ નથી બની જતો ? હું પરિસ્થિતિનું પરિણામ તેમ જ તેને ઉત્પાદક બેઉ છું. આ બાબતોમાં અ ન્યાશ્રયત્વ રહેલું છે.” (પા. ર૦૩.)
અને એ પણ જાણવું જોઈએ કે, માણસ સારો હશે પણ તેનું કામ જે ઊતરતું હશે, તે પણ નહિ ચાલે. “માણસેને કરવાનાં મોની ગત જે ઊતરતી જશે, તે માણસોની જાત સુધારવાની આપણી કલ્પનાઓ કદી ફળીભૂત થવાની નથી.” (પા. ૧૯૯.) “જગતનું સામાન્ય કામકાજ માનવજાતિની આધ્યાત્મિક સંસ્કૃતિના મૂળરૂપ તેમ જ તેને ઊગવાની ભૂમિરૂપ છે, એવું માનનારાઓમાં હું એક છું..... હું પિતે તે સમજી જ શકતો નથી કે, ભૌતિક પ્રાણી તરીકે માણસ પિતાની આજીવિકા જે પ્રવૃત્તિઓ દ્વારા ચલાવે છે, તે પ્રવૃત્તિઓ બાતલ રાખવામાં આવે, તો બીજે કયે માર્ગે માણસના આત્માને વિકાસ સાધી શકાય.... ભૌતિકતત્વ આત્મતત્ત્વના સાક્ષાત્કારની પ્રથમ ભૂમિકા છે; આધ્યાત્મિક અનુભવને માર્ગ ભૌતિક વસ્તુઓમાં થઈને જ જાય છે. તેમને વટાવીને નહીં... ભૌતિક વસ્તુઓને જ જ્યારે કુશળ કારીગરીથી, હંમેશને માટે સૌંદર્યભરી અને આનંદભરી” ચાજે રૂપ બનાવી દેવામાં આવે છે, ત્યારે તે આધ્યાત્મિક વસ્તુઓરૂપ જ બની જાય છે, અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org