________________
જ્યારે તેવી વસ્તુઓનું સૌંદર્ય અનુભવીને તમે આનંદિત થાઓ છે, ત્યારે તમે પિતે આધ્યાત્મિક બની જાઓ છે.” (પા. ૨૧૪.)
આમ એક બાજુથી જેકસની આ સામાજિક ફિલસૂફી પિંડ પર શુદ્ધ છે, તેમ જ બીજી બાજુ બ્રહ્માંડ પરત્વે પણ શુદ્ધ છે. આજની પાશ્ચાત્ય સામાજિક ફિલસૂફીની મોટી ખોડ તેની સ્થળવાચક અલગ વાડાબંધી છે. નાતજાત, રંગ, રાષ્ટ્ર, કેમ, ધર્મ ઈત્યાદિ અનેક એવાં તો તેણે બનાવી દીધાં છે, જે વિશ્વની અને માનવનિની અખંડ એકસૂત્ર એક્તાને તેડી ફેડી નાંખે છે. જેકસ કહે છે કે, “જે કોઈ આ બાબતમાં લાંબી તથા ઊંડી નજર કરી જેશે, તેને શંકા નહિ રહે કે, એક કામદાર કે સમાજના સેવક તરીકે તથા બીજી બાજ સમાજની સેવા લેનાર વ્યક્તિ તરીકે જ માણસ અંતે વિશ્વનો નાગરિક થવાને દા, અથવા હુસેન અલીના શબ્દોમાં કહીએ તો “અતિ મહાન પરમેશ્વરના નમ્ર સેવક થવાને ” દાવો પુરવાર કરી શકે.. હું સમજું તે પ્રમાણે, નાગરિકતાના હક અને ફરજોની ત્રણ મુખ્ય બાજુઓ છે: રાજકીય, ઔદ્યોગિક અને સાર્વલૌકિક કે વિશ્વવ્યાપી. આપણામાંને દરેક જણ પ્રથમ તે જે દેશમાં પિતે જન્મે છે તે દેશને નાગરિક છે. બીજું, તે આ કામગરા પૃથ્વી ગ્રહને (“ધર્મક્ષેત્ર-કુરુક્ષેત્ર’–ને) નાગરિક છે; અને ત્રીજું, તે સમગ્ર વિશ્વને નાગરિક છે. મતદાર તરીકે તે પિતાના દેશને છે; કામદાર તરીકે તે માનવજાતિને છે; અને મનુષ્ય તરીકે તે આખા વિશ્વને છે. તે દરેક ક્ષેત્રની દૃષ્ટિએ તેને જેમ જુદાં જુદાં હક અને ફરજો છે, તેમ જ તે ત્રણે ક્ષેત્રનાં ભેગાં એવાં હકે અને ફરજો પણ તેને છે. આ ત્રણે પ્રકારની નાગરિકતા એકબીજા સાથે ગાઢ સંકળાયેલી છે તથા એકબીજાને આધારે રહેલી છે. જ્યાં સુધી આપણે બીજા બે ક્ષેત્રોમાંનું આપણું સ્થાન ધ્યાનમાં નહીં રાખીએ, ત્યાં સુધી આપણે એ ત્રણમાંથી એક પણ ક્ષેત્રના નાગરિક તરીકે આપણી ફરજે (કે જેમાં આપણું હકેને સમાવેશ થઈ જાય છે.) સમજી શકવાના નથી. . . . આખા વિશ્વની ભૂમિકા વિના આપણું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org