________________
२१
અને છે. સમાજ માટે વિચારતાં, જથા જરૂરી છે; સમાજના ધારણ માટે અમુક જથે! જોઈ એ તે જોઈ એ જ. જૅક્સ આ વસ્તુ બરાબર સમજે છે. પણ તે કહે છે કે, જથા જોઈ એ તે સારે જોઈ એ, કસદાર જોઈએ, કામમાં આવે એવા જોઈએ, એટલે કે ગુણવાળા જોઈ એ. “ જથા એ કઈ ગુણુની વિરાધી વસ્તુ નથી; જેમ ભૌતિક એ આધ્યાત્મિકનું વિરોધી નથી તેમ * જયા અને ગુણુ વચ્ચે એક આંતરિક સંબંધ છે; અને અમુક સ્થળે તે તે બહુ ગાઢ બની જાય છે. સૌથી મોટામાં મેાટા ગુણુ કે જેમને સત્ય, શિવ કે શુભ અને સૌ કહેવામાં આવે છે, તેમને સ્વભાવ જ વૃદ્ધિંગત થયા કરવાના છે. ‘ગુણુ તરફ પ્રથમ નજર રાખા, એટલે પૂરતા જથા તમને આપોઆપ મળી રહેશે ’, ‘ઉત્તમ તરફ નજર રાખા એટલે વધાર તે આપોઆપ આવી રહેશે.'......શ્વિરી આદેશને અનુસરી પ્રથમ ગુણુ શોધે એટલે બાકીનું એની મેળે આવી મળશે.” (પા. ૧૯૭–૪. ) ઈશુના આદેશને આ ઔદ્યોગિક પર્યાય તા સ્પષ્ટ છે. ગીતાકારના પેલા કાલને વાચક અહીં યાદ કરે .' स्वकर्मणा तमभ्यर्च्य सिद्धि विंदति मानवः ’ અને ભેંસ ખરેખર એ સૂત્રનું ભાષ્ય કરે છે :
...
“ વસ્તુએમાં ઉત્તમતા આણુવાના બધા પ્રયત્નોને હેતુ અ ંતે માનવ પ્રાળીયોને ઉત્તમ બનાવવાના જ હાઈ શકે....કામકાજમાં દાખવવામાં આવેલી ઉત્તમતાથી કામદાર પોતે ઉત્તમ ન થાય, તે તે નિરર્થક છે....તેના કામકાજમાં ઉત્તમતા સાધતાં તે પોતે વધુ કીમતી ખતે છે કે નહીં?... સારું કામકાજ તે કામદારને પોતાને વધુ શ્રીમતી બતાવે છે કે નહીં? જગતની કુલ કિ ંમતમાં તેના વ્યક્તિત્વથી સ્પષ્ટ ઉમેશ થાય છે કે નહીં? જગતમાંથી તેને દૂર કરવામાં આવે તા તેના માનવબંધુને ખોટ તેમ જ નુકસાન જાય કે નહીં’ (પા. ૧૯૧–૬. )
વાચક નીચેના ઉ૫નિષદ-મંત્ર ચાદ કરે.
નિસ્યંદ્રવ્યું: પ્રાપ્તવાનસ્મિ નિત્યમ્ । ૪૦, ૨, o ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org